Webdunia - Bharat's app for daily news and videos

Install App

Ganesh Chaturthi 2019: ક્યારે છે ગણેશ ચતુર્થી, જાણો મહત્વ અને શુભ મુહુર્ત

Webdunia
શુક્રવાર, 30 ઑગસ્ટ 2019 (09:12 IST)
Ganesh Chaturthi 2019 ગણેશ ચતુર્થીનો તહેવાર ખૂબ જ ખાસ હોય છે. એવુ કહેવાય છે કે આ દિવસે ભગવાન ગણેશનો જન્મ થયો હતો.  આ વખતે ગણેશ ચતુર્થી 2 સપ્ટેમ્બર સોમવારે છે. 
 
ગણેશ ચતુર્થી પૂજન મુહુર્ત - ગણેશ પૂજન માટે મુહુર્ત - બપોરે 11.04 વાગ્યાથી 1.37 વાગ્યા સુધી લગભગ 2 કલાક 32 મિનિટનો સમય છે. 
 
જાણો શુ ગણેશ ચતુર્થીનું મહત્વ 
 
ભાદરવા મહિનાના શુકલ પક્ષની ચતુર્થીને ગણેશ ચતુર્થીના રૂપમાં ઉજવવામાં આવે છે. એવી માન્યતા છે કે ભગવાન ગણેશનો આ દિવસે જન્મ થયો હતો. 
 
- ભગવાન ગણેશનો જન્મ ભાદરવાના શુક્લપક્ષની ચતુર્થીના રોજ સોમવારના દિવસે મધ્યાહ્ન કાળમાં  સ્વાતિ નક્ષત્ર અને સિંહ લગ્નમાં થયો હતો. તેથી મધ્યાહ્ન કાળમાં જ ભગવાન ગણેશની પૂજા કરવામાં આવે છે. આ ખૂબ જ શુભ સમય માનવામાં આવે છે. 
 
- ભારતીય સંસ્કૃતિમાં ગણેશજીનીને વિદ્યા બુદ્ધિના પ્રદાતા, વિઘ્ન-વિનાશક, મંગળકારી કહેવામાં આવે છે. દરેક મહિને કૃષ્ણપક્ષની ચતુર્થીના રોજ સંકષ્ટી ગણેશ ચતુર્થી વ્રત કરવામા6 આવે છે. પણ આ ગણેશ ચતુર્થી વ્રત આ બધામાં સૌથી ઉત્તમ હોય છે. 
 
- મહારાષ્ટ્રમાં આ તહેવાર ગણેશોત્સવના રૂપમાં ઉજવાય છે. આ 10 દિવસ ચાલે છે અને અનંત ચતુર્દશી પર સમાપ્ત થાય છે.  આ દરમિયાન ગણેશજીને ભવ્ય રૂપથી સજાવીને તેમની પૂજા કરવામાં આવે છે.  લોકો પોતાના ઘરમાં ગણેશ સ્થાપના કરે છે. 

સંબંધિત સમાચાર

Vinod Khanna Death Anniversary- આ 5 ફિલ્મો જે વિનોદને હીરો બનાવ્યા

અભિનેત્રી તમન્ના ભાટિયાને મહારાષ્ટ્ર સાઈબર સેલનુ સમન, આઈપીએલ 2023ની ગેરકાયદેસર સ્ટ્રીમિંગ સાથે જોડાયેલો છે મામલો

'છાવા'માંથી વિકી કૌશલનો ફર્સ્ટ લૂક વાયરલ

પ્રીતિ ઝિંટા ફિલ્મોમાં કરી રહી છે કમબેક, આ ફિલ્મમાં સની દેઓલ સાથે જામશે જોડી

Natasha Dalal Baby Shower: શાનદાર થયુ Varun Dhawan ની પત્ની નતાશા દલાલનુ બેબી શાવર, સામે આવી ઈનસાઈડ તસ્વીર

ગુજરાતી જોકસ- ત્રણ નવી ગર્લફ્રેન્ડ

ગુજરાતી જોક્સ - પત્નીએ સુખડી

ગુજરાતી જોક્સ - બેંકમાં

ગુજરાતી જોક્સ - આવુ ઈશ્ક છે

જોક્સ- મોબાઈલના જમાના

આગળનો લેખ
Show comments