Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

પાકિસ્તાન જિંદાબાદ’ના નારા લગાવવાના આરોપી છ વર્ષે નિર્દોષ છૂટ્યા

પાકિસ્તાન જિંદાબાદ’ના નારા લગાવવાના આરોપી છ વર્ષે નિર્દોષ છૂટ્યા
, ગુરુવાર, 21 માર્ચ 2024 (17:26 IST)
ઇન્ડિયન એક્સપ્રેસના એક અહેવાલ અનુસાર છ વર્ષ પહેલાં મધ્ય પ્રદેશના બુરહાનપુરના મોહાદ ગામના ક્રિકેટ મૅચમાં ભારત સામે પાકિસ્તાનની જીતની ઉજવણીના 15 મુસ્લિમ આરોપીઓનો છ વર્ષ બાદ નિર્દોષ છુટકારો થયો હતો.
 
આરોપ હતો કે 15 પુખ્ત વયના લોકો અને બે સગીર વર્ષ 2017માં યોજાયેલી આઇસીસી ચૅમ્પિયન્સ ટ્રૉફીની ફાઇનલ મૅચમાં પાકિસ્તાન સામે ભારતની હાર બાદ ‘પાકિસ્તાનની તરફેણ’માં નારા લગાવી રહ્યા હતા.
 
પાકિસ્તાની ક્રિકેટ ટીમને સમર્થન કરવા, ‘પાકિસ્તાન જિંદાબાદ’ના નારા લગાવવાની સાથોસાથ ફટાકડા ફોડવા અને મીઠાઈ વહેંચવાના આરોપમાં સ્થાનિક પોલીસે આઇપીસીની ગુનાહિત કાવતરાની કલમ 120 બી, ધર્મના આધારે દુશ્મનાવટને પ્રોત્સાહન આપવાની કલમ 153 એ અંતર્ગત ગુનો નોંધ્યો હતો.
 
જોકે, સ્થાનિક જ્યુડિશિયલ મૅજિસ્ટ્રેટે 9 ઑક્ટોબર, 2023ના રોજ તમામ 15 આરોપીને નિર્દોષ ઠરાવી છોડી મૂક્યા હતા. મૅજિસ્ટ્રેટે નોંધ્યું હતું કે, “પ્રૉસિક્યૂશનના સાક્ષી તેમની જ કહાણીનું સમર્થન નથી કરતા, તેમજ તેમણે પોલીસને આવું કોઈ પણ નિવેદન ન આપ્યું હોવાનું કહ્યું છે.”

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

વડોદરામાં ભાજપનાં ઉમેદવાર રંજન ભટ્ટના વિરોધમાં પોસ્ટરો લગાડવાના આરોપમાં બે ‘કૉંગ્રેસીની અટકાયત’