Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

અયોધ્યા: ભવ્ય રામ મંદિરના ઉદ્ઘાટનની તારીખ, પ્રાણ પ્રતિષ્ઠા પહેલા દેશભરમાં હનુમાન ચાલીસાના 100 કરોડ પાઠ થશે

ayodhya ram mandir
, ગુરુવાર, 30 માર્ચ 2023 (16:01 IST)
અયોધ્યામાં બની રહ્યા રામા મંદિરનુ બાંધમાક નક્કી સમયથી જ પૂરા થવાની શક્યતાઓ છે. રામ મંદિરનુ બાંધકામ ડિસેમ્બર 2023માઅં પૂરો થવો છે. પણ રામ જનમભૂમિમાં ટ્ર્સ્ટના કાર્યાલયના પ્રભારી પ્રકાશ ગુપ્તા મુજબ મંદિરનુ બાંધકામ સેપ્ટેમ્બર 2023 સુધી પૂરો કરી લેવાશે. 
 
રામ મંદિર નિર્માણ સમિતિના પ્રમુખ નૃપેન્દ્ર મિશ્રાએ કહ્યું કે 14-15 જાન્યુઆરી, 2024ના રોજ રામલલા ગર્ભગૃહમાં બિરાજશે. તેમણે કહ્યું કે રામલલાના અભિષેક પહેલા સમગ્ર દેશમાં 100 કરોડ હનુમાન ચાલીસાના પાઠ કરવામાં આવશે. મિશ્રાએ કહ્યું, 'રામ મંદિરના ગ્રાઉન્ડ ફ્લોરનું નિર્માણ કાર્ય ડિસેમ્બર 2023 સુધીમાં પૂર્ણ થઈ જશે. રામલલાની મૂર્તિ બાળપણની હશે, 7 એપ્રિલે રામલાલની મૂર્તિની કલા કામ તૈયાર થઈ જશે. તેમણે કહ્યું કે રામલલાની મૂર્તિ 4-5 વર્ષની ઉંમરે બનાવવામાં આવશે. ભગવાન રામની મૂર્તિ સ્થાયી સ્થિતિમાં હશે.
 
તેમણે વાતચીત દરમિયાન કહ્યું, '8 એપ્રિલે શિલ્પકારો નક્કી કરશે કે કયા પથ્થરની મૂર્તિ બનાવવી. જોકે રામલલાની મૂર્તિ અયોધ્યામાં જ બનાવવામાં આવશે. મૂર્તિ માટે બનાવતી વખતે ધાર્મિક ઉચ્ચારણ કરવામાં આવશે. રામલલાની મૂર્તિ બનાવવામાં 6 મહિનાનો સમય લાગશે.
 
રામ મંદિર નિર્માણ સમિતિના અધ્યક્ષ નૃપેન્દ્ર મિશ્રાના જણાવ્યા અનુસાર, 'ગભગૃહની દિવાલો 31 માર્ચ સુધીમાં પૂર્ણ થઈ જશે. 7 મે સુધીમાં રામ મંદિરની છત તૈયાર થઈ જશે. નેપાળની દેવશિલા શ્રી રામ જન્મભૂમિ સંકુલમાં રાખવામાં આવશે.
 
તેમણે કહ્યું, 'આગામી રામનવમી પહેલા રામલલા તેમના મૂળ ગર્ભમાં બેસી જશે. પીએમ મોદીએ સૂચન કર્યું છે કે રામ મંદિરની સાથે મહર્ષિ વાલ્મીકિ, શબરી, નિષાદરાજના મંદિરો પણ બનાવવા જોઈએ, જેથી મર્યાદા પુરૂષોત્તમ ભગવાન શ્રી રામની ગરિમા જનતા સુધી લઈ જઈ શકાય.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ભાવનગરના વલ્લભીપુરમાં ચારો ભરેલો ટ્રક પલટ્યો, શ્રમિકો દટાયા, 6ના મોત