Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

દુર્ભાગ્યને સૌભાગ્યમાં બદલવા માટે કરો આ ઉપાય

દુર્ભાગ્યને સૌભાગ્યમાં બદલવા માટે કરો આ ઉપાય
, સોમવાર, 21 નવેમ્બર 2016 (15:24 IST)
દરેક વ્યક્તિ ઈચ્છે છે કે તેની પાસે ધન હોય. જેને માટે કેટલાક લોકો ખૂબ મહેનત પણ કરે છે.  પણ અનેકવાર વ્યક્તિના દુર્ભાગ્યને કારને તેને અસફળતા જ મળે છે. કેટલાક લોકોનુ દુર્ભાગ્ય તેનો પીછો નથી છોડતો. જ્યોતિષમાં કેટલાક એવા ઉપાય બતાવ્યા છે જેનો પ્રયોગ કરવાથી દુર્ભાગ્યને સૌભાગ્યમાં બદલી શકાય છે. 
 
- ગુરૂ પુષ્ય કે રવિ યોગમાં વડનુ ઝાડ લાવીને તેમા હળદરથી સ્વસ્તિકનુ ચિન્હ બનાવીને ઘરમાં મુકવાથી સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે. 
 
- મેન ગેટ ઉપર શ્રીગણેશની પ્રતિમા કે ચિત્ર એ રીતે લગાવો કે તેમનુ મોઢુ ઘરના અંદરની તરફ રહે. સવારે તેના પર દૂર્વા અર્પિત કરો. આવુ કરવાથી ઘરમાં સકારાત્મક ઉર્જાનુ આગમન થાય છે. 
 
- મા લક્ષ્મી અને ભગવાન વિષ્ણુની એક સાથે પૂજા કરો. તેની પૂજા કર્યા પછી નાના બાળકો કે ભિખારીઓને ભોજન કરાવો. આવુ કરવાથી ધન લાભના યોગ બને છે. 
 
- નવા વ્યવસાય નોકરી વગેરે શુભ કાર્યો પર જતા વખતે ઘરની મહિલા એક મુઠ્ઠી કાળી અડદ એ વ્યક્તિના ઉપરથી ઉતારીને જમીન પર મુકી દે. જેનાથી કાર્યમાં જરૂર સફળતા મળશે. 
 
- ગરીબ, કિન્નર, અસહાય અને રોગીની મદદ જરૂર કરવી જોઈએ. કિન્નર મળતા તેને દાન જરૂર કરો અને એક સિક્કો તેમની પાસેથી પરત લઈને તિજોરીમાં મુકી દો. તેનાથી ધન લાભ થાય છે. 
 
- કાળી હળદરની એક ગાંઠ શુભ મુહૂર્તમાં તમારા ઘરમાં લાવીને ઘર કે દુકાનની તિજોરીમાં મુકવાથી ધન લાભ થવો શરૂ થઈ જશે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

જનમદિવસ અને જ્યોતિષ - આજે જેમની વર્ષગાંઠ છે (21.11.2016)