Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

વસંત પંચમીના દિવસે તમે વગર શુભ મુહુર્તના કરી શકો છો આ 5 કામ

vasant panchami
, ગુરુવાર, 18 જાન્યુઆરી 2024 (14:54 IST)
14 ફેબ્રુઆરી 2024ના દિવસે વસંત પંચમીનો તહેવાર છે. આ દિવસે હિંદુ ધર્મ માનનારાઓ માટે ખાસ હોય છે. આ દિવસે એક નવી ઋતુનો આગમન તો થાય જ છે. તમને જણાવીએ કે જે કાર્ય કરવા માટે તમે કોઈ શુભ મુહુર્ત કે પછી સારા અવસર શોધી રહ્યા છો તો તે બધા કામ તમે વસંત પંચમીના દિવસે કરી શકો છો. 
 
આ વિષય જ્યોતિષ કહે છે કે તમે તેથી કોઈ પણ માંગલિક કાર્ય કરી શકો છો કારણકે આ દિવસ દોષ વગર હોય છે અને આ દિવસે અમૃત સિદ્ધિયોગ હોય છે. તેથી તમે વસંત પંચમીના દિવસે કોઈ પણ શુભ કામ કરી શકો છો. 
 
લગ્ન 
વસંત પંચમીના દિવસે લગ્ન કરવા માટે તમે કોઈ પણ પ્રકારના શુભ મુહુર્તની જરૂર નથી. આ દિવસે તમે કયારે પણ લગ્ન કરી શકો છો. સામાન્ય રીતે લગ્ન માટે તારીખ અને શુભ મુહુર્ત કાઢવામાં આવે છે પણ વસંત પંચમીનુ આખુ દિવસ જ શુભ હોય છે. માત્ર લગ્ન જ નહી તમે લગ્નથી સંકળાયેલા કોઈ બીજા કામ પણ આ દિવસે કરાવી શકો છો. 
 
ભવન નિર્માણ 
ભવન નિર્માણનુ કામ હોય કે પછી ભૂમિ પૂજન વસંત પંચમીના દિવસે તમે બધુ કરાવી શકો છો. જો તમને તમારા ઘરનો રેનોવેશન કરાવવો છે કે પછી નવા ઘર ખરીદવા છે. તો આ કામ પણ તમે આ પર્વ પર કરાવી શકો છો. આ દિવસે ખરીદેલુ ઘર તમને સમૃદ્ધિ આપે છે. 
 
ગૃહ પ્રવેશ 
નવા ઘરમાં પ્રવેશતા પહેલા પૂજા પણ કરવામાં આવે છે. આ પૂજા માટે એક ખાસ દિવસ અને શુભ સમય પસંદ કરવામાં આવ્યો છે, પરંતુ વસંત પંચમીના દિવસે તમે દિવસ દરમિયાન ગમે ત્યારે નવા ઘરમાં પ્રવેશ કરી શકો છો. તમને જણાવી દઈએ કે અભિજીત મુહૂર્ત સૌથી શુભ છે.
 
 
હવન 
હવન, મુંડન સંસ્કાર અને અન્નપ્રાશન સંસ્કારનું કાર્ય પણ વસંત પંચમીના દિવસે કરી શકાય છે. આ દિવસ ખૂબ જ શુભ છે. જો તમે ઘરે પૂજા કરવા માંગતા હોવ તો વસંત પંચમીના દિવસે પણ કરી શકો છો

નવા કામની શરૂઆત 
 
કોઈ નવુ કામ શરૂઆત, રોકાણ કે નોકરી શરૂ કરવા માટે પણ આ દિવસ ખૂબ જ શુભ છે. આની મદદથી તમે નવી દુકાન વગેરે પણ શરૂ કરી શકો છો. આટલું જ નહીં, જો તમે કામ માટે કોઈ જગ્યાએ જવા માંગતા હોય તો આ દિવસ તમારા માટે શુભ રહેશે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

અહીં અયોધ્યાના રામલલા છે ઓરછાના રાજા, પિતા દશરથની અધૂરી ઈચ્છા અહીં પૂરી થઈ, જાણો પૌરાણિક કથા