શ્રાદ્ધના દિવસોમાં કેટલાક કાર્ય શ્રદ્ધાપૂર્વક કરવાથી પિતૃદેવ તૃપ્ત થાય છે અને એ આશીર્વાદ આપે છે. જ્યારે ઘણા કાર્ય એવા પણ છે જેને કરવાથી પિતૃદેવ અતૃપ્ત થઈને કુપિત થઈ જાય છે. આથી શ્રાદ્ધના દિવસોમાં એવી વાતો પર ખાસ ધ્યાન આપવુ જોઈએ.
પંડિતજી મુજબ શ્રાદ્ધ તિથિવાળા દિવસે તેલ લગાડવું , બીજાનાનું અન્ન ખાવું અને સ્ત્રી સંગથી પરેજ કરવું જોઈએ.
શ્રાદ્ધમાં રાજમા , મસૂર, તુવેર, ગાજર, દૂધી ,રીંગણા, બીટ ,હીંગ, ડુંગળી -લસણ , સંચળનું સેવન ન કરવુ જોઈએ.
આ રીતે કાળું જીરું , સિંઘાડા , જાંબુ , કેથ ,મહુઆ અને ચણા આ બધી વસ્તુઓ પણ વર્જિત ગણાય છે.
આનુ સેવન કરી શકો છો - શ્રાદ્ધમાં ધાન ઘઉં , જવ , તલ , સરસવનું તેલ , મગ વગેરે ગ્રહણ કરી શકાય છે. આ ઉપરાંત કેરી , આંમળા , દાડમ , કાકડી , નારિયલ , ખજૂરનું સેવન પણ સારુ ગણાય છે.
કેળાનું ફળ શ્રાદ્ધમાં ન ચઢાવવું જોઈએ. અને એનું સેવન ન કરવુ જોઈએ શ્રાદ્ધમાં કેળાનું ફળ શુભ નથી હોતુ.