Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Bhishma Bhojan Formula: દરરોજ આ રીતે ભોજન કરવાથી ઘરમાં હમેશા રહે છે માતા લક્ષ્મીનુ વાસ, પિતામહ ભીષ્મએ જણાવ્યા છે આ વિધાન

Kadhi Recipes
, સોમવાર, 12 ડિસેમ્બર 2022 (14:22 IST)
Pitamah Bhishma Food Rules: ઘણા ઓછા લોકો આ વાત જાણે છે કે અમારા ભોજનથી ન માત્ર ભૂખ શાંત હોય છે પણ તેનુ કનેક્શન અમારા ભાગ્યથી પણ સંકળાયેલો છે. ભીષ્મ પિતામહએ ભોજનના નિયમોથી સંકળાયેલી કેટલીક જરૂરી વાત જણાવી છે. જેના વિશે તમને જાણવા જોઈએ. 
 
Bhisma Food Rules: શરીરને ચલાવવા માટે સવાર સાંજે ભોજન કરવુ અમારી બધાની એક નિયમિત દૈનિક ક્રિયા છે. શું તમે જાણો છો કે અમારી ભોજનશૈલીથી અમારા ભાગ્યનુ પણ સીધુ સંકળાયેલો છે. ભીષ્મ ભોજન વિધાનના મુજબ અમે ઘણી વાર અજાણમાં ભોજનથી સંકળાયેલી કેટલીક ભૂલ કરીએ છે જેનાથી માતા લક્ષ્મી રિસાઈ જાય છે. આજે અમે અમે તમને ભોજન (Vastu Rules for Food)થી સંકળાયેલી કેટલીક વાત જણાવી રહ્યા છે જેનાથી તમે હમેશા ધ્યાન રાખવી જોઈએ. નહી તો ઘરના બરબાદ થતા મોડુ નથી લાગે. 
શરશૈયા પર ભીષ્મએ આપ્યુ હતુ જ્ઞાન

હકીકતમાં આ ભીષ્મ ભોજન વિધાન પિતામહ ભીષ્મ (Pitamah Bhishma)થી સંકળાયેલો છે. જ્યારે ભીષ્મ પિતામહ શરશૈયા પર સૂતા હતા. ત્યારે પાંડવ તેનાથી જ્ઞાન મેળવવા માટે ગયા હતા. તે દરમિયાન ભીષ્મએ તેણે ભોજનથી સંકળાયેલી એવી વાત જણાવી, જે પછી ભીષ્મ ભોજન વિધાન કહેવાયુ છે. તમે બધા પણ તે વાતનુ જ્ઞાન હોવા જોઈએ. આવો જાણીએ શું છે તે વાત 
 
ભીષ્મ પિતામહ કહે છે કે ભોજન થાળીને ભૂલથી પણ તેને ઓળંગવી ન જોઈએ. જો કોઈ અજાણ કે જાણીને તેને ઓળંગી જાય તો તે થાળીમના ભોજનને કાદવ માનીને તેમજ છોડી દેવા જોઈએ. આવુ ભોજન શરીર માટે નુકશાનકારી હોય છે. 
 
શું પતિ પત્નીને એક જ થાળીમાં ભોજન કરવો જોઈએ 
પતિ પત્નીને એક જ થાળીમાં ભોજન કરવાની પ્રવૃતિ પર પણ ભીષ્મએ મુખ્ય વાત કહી છે. ભીષ્મ ભોજન વિધાનના મુજબ પતિ-પત્નીમાં ભલે કેટલુ પણ પ્રેમ હોય પણ તેણે એક થાળીમાં ક્યારે પણ ભોજન ન કરવો જોઈએ. તેનાથી પરિવારના બીજા લોકોની સાથે મતભેદ વધે. આ પ્રકારના ભોજનની થાળી નશીલા પદાર્થથી ભરેલી કટોરા જેવી હોય છે.
 
ભીષ્મ પિતામહ કહે છે કે ભોજનની જે થાળીમાં વાળ પડી જાય તો તે ભોજન ખાવા યોગ્ય નથી હોતુ. એવા ભોજનને છોડવું વધુ સારું છે. આવુ કરવાથી ઘરમાં દરિદ્રતા અને સ્વાસ્થ્ય હાનિ થાય છે. 
 
પરિવારમાં સ્નેહભાવ વધારવાના ઉપાયમાં વાત કરતા ભીષ્મ કહે છે કે તેના માટે ઘરના બધા લોકોને એક જ થાળીમાં કે એક સાથે મળીને ભોજન કરવો જોઈએ. જે ઘરમાં આવુ હોય છે. ત્યાં માતા લક્ષ્મીનુ હમેશા વાસ રહે છે અને તે ઘર ખૂબ સમૃદ્ધિ આવે છે. 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

શનિવારે કરો રોટલીનો આ ઉપાય, હનુમાનજી થશે પ્રસન્ન