Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

સાયકલોનિક સીસ્ટમ વિખેરાતાં ગુજરાતમાં વરસાદનું જોર ધીમું પડ્યું

સાયકલોનિક સીસ્ટમ વિખેરાતાં ગુજરાતમાં વરસાદનું જોર ધીમું પડ્યું
ગાંધીનગર , મંગળવાર, 26 જૂન 2018 (17:37 IST)
અધિક મુખ્ય સચિવ પંકજકુમારની ઉપસ્થિતિમાં સમીક્ષા બેઠકમાં વરસાદની સ્થિતિ વિષે જાણકારી આપતાં હવામાન વિભાગના અમદાવાદ ખાતેના ડાયરેકટર ડૉ. જયંત સરકારે જણાવ્યું હતું કે, સોમવારની સાંજે ગુજરાત પર સ્થિત ઓફ શોર ટ્રાફ વિખેરાઇ ગયું છે, અને અપર એર સાયકલોનિક સરક્યુલેશન પૂર્વ-મધ્ય ગુજરાતથી મધ્ય ભારત તરફ ફંટાયું છે, પરિણામે વરસાદનું જોર સોમવારની સરખામણીએ ઓછું થયું છે. જોકે તેમણે આગામી ૨૪ કલાકમાં પૂર્વીય મધ્ય ગુજરાતના વિસ્તારો; છોટાઉદેપુર, પંચમહાલ, મહિસાગર, તથા ઉત્તર ગુજરાતના સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગર તથા સૌરાષ્ટ્રના પોરબંદર, દ્વારકા, ઓખા ઉપરાંત કચ્છમાં હળવો વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરી હતી. આ ઉપરાંત ચોમાસાની શરૂઆત હોવાથી લગભગ રાજ્યમાં સર્વત્ર છૂટાછવાયો વરસાદ પડવાની શક્યતા પણ તેમણે જણાવી હતી. 

એન.ડી.આર.એફ.ની ૧૩ ટીમોને આગોતરા પગલાં તરીકે અમદાવાદ, ગાંધીનગર, જૂનાગઢ, અમરેલી, સુરેન્દ્રનગર, પાટણ, સુરત, તાપી, સાબરકાંઠા, છોટાઉદેપુર, ખેડા, વડોદરા અને વલસાડમાં તહેનાત કરવામાં આવી છે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

અમદાવાદ જગન્નાથ મંદિરમાં રથયાત્રાની તડામાર તૈયારીઓ શરૂ