Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

જાણો ક્યાં લવ જેહાદ અને લેન્ડ જેહાદના પોસ્ટર લાગ્યા

જાણો ક્યાં લવ જેહાદ અને લેન્ડ જેહાદના પોસ્ટર લાગ્યા
, શુક્રવાર, 14 સપ્ટેમ્બર 2018 (14:22 IST)
અમદાવાદના પાલડી વિસ્તારમાં ‘લવ જેહાદ’ અને ‘લેન્ડ જેહાદ’ના પોસ્ટર્સ લાગ્યા છે. હિન્દુ જાગરણ મંચ તરફથી લગાવવામાં આવેલા આ પોસ્ટર્સમાં લખવામાં આવ્યું છે. પાલડીમાં ફરી એક વખત અશાંતધારાને લઈને લાગ્યા પોસ્ટર વૉર શરૂ થઈ ગયો છે. આ સિવાય એલીસબ્રિજ MLA રાકેશ શાહની ઓફિસની આસપાસ પણ પોસ્ટર લગાવવામાં આવ્યા છે.પાલડીમાં લવ જેહાદ અને અશાંતધારાને લઈને લગાવેલા પોસ્ટરોમાં અનેક તીક્ષ્ણ સૂત્રો લખવામાં આવ્યા છે.
webdunia

અહીં એક પોસ્ટરમાં લખ્યું છે કે, “પોળો છોડી પાલડી આવ્યા, પાલડી છોડીને ક્યાં જઈશું.” પાલડી વિસ્તારમાં વિવિધ જગ્યાએ આ પોસ્ટર્સ લગાવવામાં આવ્યા છે.પાલડી વિસ્તારમાં રિવરફ્રન્ટ તરફ આવેલા વર્ષા ફ્લેટને લઈને ઘણા સમયથી વિવાદ ચાલી રહ્યો છે. જેમાંથી એક ટાવરને જ બીયુ પરમિશન છે. બાકીના ટાવરમાં બીયુ વગર જ લોકો વસવાટ કરી રહ્યા છે. મોટાભાગના ફ્લેટના દસ્તાવેજ પણ થઈ ગયા છે. આ ફ્લેટના વેચાણમાં અશાંતધારાની શરતોનો ભંગ થયાનો આક્ષેપ અનેક વખત લગાવવામાં આવ્યો છે. આ મામલે અનેક વખત રજુઆતો પણ કરવામાં આવી ચુકી છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

સુરત ખાતે દેશનાં સૌથી મોંઘા 500 કરોડના ડાયમંડ ગણેશની કરાઈ સ્થાપના