Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ગેસ ગળતરના 3 શ્રમિકોના મોત, ગૂંગળામણથી બની દુર્ઘટના

ગેસ ગળતરના 3 શ્રમિકોના મોત, ગૂંગળામણથી બની દુર્ઘટના
, બુધવાર, 24 એપ્રિલ 2024 (09:16 IST)
Banaskantha news- 
 
બનાસકાંઠામાં ગેસ ગળતરનાં લીધે 3 શ્રમિકોનાં મોત નિપજતા અફરા તફરીનો માહોલ સર્જાયો હતો. કૂવામાં કામ કરતા પાંચ શ્રમિકોને ગુંગળામણ થઈ હતી. ગુંગળામણ થતા સારવાર દરમ્યાન મોત થયું હતું.
 
બનાસકાંઠાનાં પાલનપુરના બાદરપુરાની મહેશ્વરી પેપર મિલમાં કુંડીઓ બનાવી હતી. મંગળવાર રાત્રે શ્રમિકો કુંડીમાં ઉતર્યા હતા . જે કુંડીઓ છેલ્લા એક સપ્તાહથી બંધ હોવાથી અંદર ગેસ એકઠો થયો હતો.    ત્યારે કુંડીમાં  એકઠા થયેલ ગેસનાં કારણે શ્રમિકને ગુંગળામણ થવા પામી હતી. બેભાન થઈ ગયેલ મજૂરોને બહાર કાઢવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી. જે બાદ બેભાન થઈ ગયેલ મજૂરોને તાત્કાલીક 108 મારફતે સારવાર અર્થે ખસેડાયા હતા. જ્યાં સારવાર દરમ્યાન ત્રણ મજૂરોનાં મોત નિપજ્યા હતા. 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Zero Shadow Day- આજે ઝીરો શેડો ડે છે... બપોરે આ સમયે કોઈનો પડછાયો નહીં પડે! જાણો કેમ આવું થતું હશે?