Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

મુખ્યમંત્રીને મળેલી આકર્ષક ભેટ-સોગાદો ખરીદી લેવાનો મોકો, 850 વસ્તુઓનું અનેરું આકર્ષણ

Bhupendra Patel
, ગુરુવાર, 18 જાન્યુઆરી 2024 (09:26 IST)
-  850 જેટલી વસ્તુઓનું અનેરુ આકર્ષણ
- ભેટ સોગાદોમાં મળેલ ચીજવસ્તુઓ પ્રદર્શન
-નરેન્દ્ર મોદીએ શરુ કરી હતી પહેલ
 
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને વિવિધ કાર્યક્રમો અને પ્રવાસ દરમિયાન ભેટ સોગાદોમાં મળેલ અને તોશાખાનામાં જમાં કરાવેલ ચીજવસ્તુઓ પ્રદર્શન અને વેચાણ અર્થે અમદાવાદ જિલ્લાને ફાળવવામાં આવી છે.
 
આ સંદર્ભે અમદાવાદ ખાતે તા.૧૮/૦૧/૨૦૨૪ થી તા.૨૦/૦૧/૨૦૨૪ના ત્રણ દિવસ દરમિયાન પ્રદર્શન કમ હરાજી કાર્યક્રમ યોજાશે. આ પ્રદર્શન કમ હરાજી કાર્યક્રમમાં અંદાજીત ₹૨૫ લાખની કિંમતની ૮૫૦ જેટલી વસ્તુઓનું પ્રદર્શન સહ વેચાણ હાથ ધરવામાં આવનાર હોવાનું સીટી ડે.કલેકટર(પશ્ચિમ) ઉમંગ પટેલે જણાવ્યું છે.
 
નરેન્દ્ર મોદીએ શરુ કરી હતી પહેલ
 ઉલ્લેખનીય છે કે, દેશના વડાપ્રધાન અને ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ પોતાના કાર્યકાળ દરમિયાન તેમને વિવિધ કાર્યક્રમો કે પ્રવાસ દરમિયાન મળતી ભેટ સોગાદોને તોશાખાનામાં જમા કરાવીને તેના પ્રદર્શન અને વેચાણમાંથી થતી આવકનો વિવિધ લોકહિત અને જનકલ્યાણના કાર્યોમાં ઉપયોગ કરવાની ઉમદા પહેલ અમલમાં મૂકી હતી. તેમની આ પહેલને હાલમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પણ આગળ ધપાવી છે.
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ગુજરાતીઓને ઠંડીમાં વધારો, 48 કલાક બાદ ફરી તાપમાનનો પારો ગગડશે'