Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

સુનીતા કેજરીવાલે કહ્યું કે "અરવિંદ કેજરીવાલ કોર્ટમાં કથિત દારૂનીતિ કૌભાંડનું સત્ય જણાવશે"

સુનીતા કેજરીવાલે કહ્યું કે
, બુધવાર, 27 માર્ચ 2024 (16:01 IST)
દિલ્હીના મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલનાં પત્ની સુનીતા કેજરીવાલે નિવેદન કર્યું છે કે કેજરીવાલ કાલે એટલે કે ગુરુવારે એક મહત્ત્વપૂર્ણ વાત સાર્વજનિક કરશે.
 
તેમણે કહ્યું કે કેજરીવાલ કોર્ટમાં જણાવશે કે કથિત દારૂનીતિ કૌભાંડના પૈસા કે જેની શોધ માટે ઈડી 150થી વધારે દરોડા પાડી ચૂકી છે, તે ક્યાં છે. કારણ કે આ પૈસા ન તો મનીષ સિસોદિયાના ઘરે મળ્યા ન તો તેમના ઘરેથી.
 
આ કથિત કૌભાંડમાં મળેલા પૈસા ક્યાં છે તેના વિશે કેજરીવાલ 28 માર્ચે જાણકારી આપશે.
 
સુનીતા કેજરીવાલે જણાવ્યું કે અરવિંદ કેજરીવાલને શુગર છે અને તેમની તબિયત સારી નથી. તેઓ દિલ્હીના નાગરિકો વિશે પણ ચિંતિત છે.
 
સમાચાર એજન્સી રૉયટર્સ સાથેની વાતચીતમાં અમેરિકાના પ્રવક્તાએ કહ્યું હતું કે અમે મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલ માટે નિષ્પક્ષ અને પારદર્શક કાયદાકીય પ્રક્રિયાની આશા રાખીએ છીએ.
 
ભારતે અમેરિકાના વિદેશ મંત્રાલયના પ્રવકતાના નિવેદન પર વિરોધ નોંધાવ્યો છે.
 
ભારતીય વિદેશ મંત્રાલયે એક નિવેદન જાહેર કર્યું છે. "અમે ભારતના કોઈ કાયદાકીય વિભાગની પ્રક્રિયા પર અમેરિકાના વિદેશ વિભાગના પ્રવક્તાની ટિપ્પણીની ઘોર નિંદા કરીએ છીએ."
 
"કૂટનીતિમાં દેશો અન્ય દેશની સાર્વભૌમત્વ અને આંતરિક બાબતોનું સન્માન કરે તેવી અપેક્ષા રાખવામાં આવે છે. એક લોકતાંત્રિક દેશ પાસેથી આ અપેક્ષા વધારે હોય છે. ભારતની કાનૂની પ્રક્રિયાઓ સ્વતંત્ર ન્યાયતંત્ર પર આધારિત છે જે ઉદ્દેશ્ય અને સમયસર ચુકાદાઓ આપવા માટે પ્રતિબદ્ધ છે. તેના પર પ્રશ્ન કરવા અયોગ્ય છે."
 
આ પહેલાં જર્મનીએ પણ દિલ્હીના મુખ્ય મંત્રીની નિષ્પક્ષ સુનાવણી માટે અપીલ કરી હતી.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Tata Group IPO: કમાણીની મોટી તક