Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

સૂર્ય મિશનમાં ISRO માટે મોટી સફળતા, Aditya-L1એ પૃથ્વીને અલવિદા કહ્યું, 15 લાખ કિલોમીટરની યાત્રાએ નીકળી

aditya L1
, મંગળવાર, 19 સપ્ટેમ્બર 2023 (09:38 IST)
Aditya-L1- ભારતીય અવકાશ એજન્સી (ઇસરો) દ્વારા સૂર્ય પર સંશોધન માટે મોકલવામાં આવેલ આદિત્ય એલ-1 હવે પૃથ્વીની ભ્રમણકક્ષામાંથી બહાર નીકળી ગયું છે. જે પૃથ્વીથી લગભગ 15 લાખ કિલોમીટરના અંતરે સ્થિત છે. આદિત્ય-એલ1 મિશને પાંચમી વખત પૃથ્વીની ભ્રમણકક્ષા બદલવાની પ્રક્રિયા સફળતાપૂર્વક પૂર્ણ કરી છે.
 
2 સપ્ટેમ્બરના રોજ, દેશનું પ્રથમ સૂર્ય મિશન 'આદિત્ય-L1' (ISRO આદિત્ય-L1 મિશન) લોન્ચ કરવામાં આવ્યું હતું. ISRO એ PSLV C57 લોન્ચ વ્હીકલથી આદિત્ય-L1 સફળતાપૂર્વક લોન્ચ કર્યું. દરમિયાન, ISRO એ આદિત્ય-L1 મિશન સંબંધિત મહત્વપૂર્ણ માહિતી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X (અગાઉ ટ્વિટર) પર શેર કરી છે.
આદિત્ય-L1 હવે સૂર્ય અને પૃથ્વી વચ્ચેના L1 બિંદુ તરફ આગળ વધ્યું છે. ઈસરોએ કહ્યું કે લગભગ 110 દિવસ પછી, આદિત્ય-L1ને એક પ્રક્રિયા દ્વારા L1ની આસપાસની ભ્રમણકક્ષામાં મૂકવામાં આવશે.


Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

7th Pay Commission: કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે સારા સમાચાર, DAમાં 3%નો વધારો થવાથી આટલો થશે પગાર