Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

બુલંદશહરમાં લગ્નમાંથી પરત ફરી રહેલી કાર નહેરમાં ખાબકી, 3ના મોત, 3 ગુમ

Bulandshahr
બુલંદશહેર , સોમવાર, 4 માર્ચ 2024 (07:24 IST)
Bulandshahr
 જિલ્લામાં લગ્નની જાનમાંથી  પરત ફરી રહેલી ઈકો કાર વરસાદને કારણે નહેરમાં પડી ગઈ હતી. આ અકસ્માતમાં ત્રણ લોકોના મોત થયા હોવાનું કહેવાય છે, જ્યારે બે લોકો ઘાયલ હોવાનું કહેવાય છે. આ અકસ્માતમાં હજુ ત્રણ લોકો ગુમ છે. સૂત્રોના જણાવ્યા મુજબ  વરસાદના કારણે આ દુર્ઘટના થઈ અને કાર નહેરમાં પડી ગઈ. આ દુર્ઘટનામાં હજુ ત્રણ લોકો લાપતા હોવાનું જાણવા મળ્યું છે. ગુમ થયેલા લોકોને શોધવા માટે બચાવ ટુકડીઓ તૈનાત કરવામાં આવી છે. અકસ્માત સમયે કારમાં કુલ 8 લોકો સવાર હતા.

 
વરસાદના કારણે કાર કેનાલમાં પડી હતી
વાસ્તવમાં, રવિવારે મોડી રાત્રે જિલ્લાના જહાંગીરાપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં સ્થિત કપના કેનાલમાં એક ઇકો કાર પડી હતી. લગ્ન સમારોહમાંથી પરત ફરતી વખતે આ અકસ્માત થયો હતો. દુર્ઘટના વિશે માહિતી આપતા મૃતકના ભાઈ રાહુલે જણાવ્યું કે, આઠ લોકો શેખપુરાથી અલીગઢ પિસાવા લગ્ન સમારોહમાં પરત ફરી રહ્યા હતા. રસ્તામાં વરસાદ પણ પડી રહ્યો હતો જેના કારણે કાર કેનાલમાં પડી હતી. આ અકસ્માતમાં ત્રણ લોકોના મોત થયા છે, જ્યારે બે લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. ત્રણ લોકો હજુ પણ ગુમ હોવાના અહેવાલ છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ચૂંટણી પહેલા નીતિન પટેલનો મોટો ધડાકો