Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

કપૂર તેલના આ ફાયદા વિશે શુ તમે જાણો છો

કપૂર તેલના આ ફાયદા વિશે શુ તમે જાણો છો
, ગુરુવાર, 4 સપ્ટેમ્બર 2014 (18:10 IST)
આપણે કેટલીક વસ્તુઓનો ઉપયોગ માત્ર પૂજા પાઠ કરવા માટે જ કરીએ છીએ.  પણ આ વસ્તુઓનો ઉપયોગ આપણે આપણી તંદુરસ્તી માટે પણ કરી શકીએ છીએ. કપૂર નુ તેલ કે કપુરનો સીધો ઉપયોગ કરવો પણ ફાયદાકારી સાબિત થયો છે. કપૂરનો ઉપયોગ ફક્ત વાતાવરણને શુદ્ધ કરવા માટે જ કરવામાં આવે છે પણ કપૂરથી કે તેનાથી તૈયાર થયેલ તેલ દ્વારા આપણે આપણી સમસ્યાઓથી પણ મુક્તિ મેળવી શકીએ છીએ. આ સાંધાના દુખાવા માટે પણ લાભકારી હોય છે. 
 
- કપૂરથી તૈયાર તેલ દ્વારા શરીરના રક્તનો સંચાર સારો રહે છે.  શરીરના કોઈપણ અંગમાં દુખાવો થાય તો કપૂરના તેલથી મસાજ કરવાથી રાહત મેળવી શકાય છે. 
ગઠિયાના રોગીઓ માટે આ તેલ દ્વારા મસાજ કરવી વધુ લાભકારી છે. 
 
-કપૂરનો પ્રયોગ ફાટેલી એડિયો માટે પણ કરી શકાય છે. 
 
- કપૂરના તેલનો ઉપયોગ ખીલમાંથી છુટકારો મેળવવામાં પણ કરી શકાય છે. 
 
-કપૂરના તેલથી વાળની સમસ્યાઓમાંથી પણ છુટકારો મેળવી શકાય છે. જેવી રીતે વાળમાં થનારો ખોળો અને ખરતા વાળની સમસ્યા પણ ઓછી થઈ જાય છે. 
 
- શરીરના અંગ બળી જવાથી પણ આ તેલનો પ્રયોગ કરવો લાભકારી સાબિત થાય છે.  
 
- શરીરની ત્વચા પર ખંજવાળ થતા પણ તેના તેલનો પ્રયોગ કરવો લાભકારી હોય છે. તેના તેલનો પ્રયોગ કરવાથી ખંજવાળમાંથી રાહત મેળવી શકાય છે. 
 
- કપૂરનુ તેલ આપણી ત્વચાને પણ સુંદર બનાવવામાં ફાયદાકારી હોય છે. તેનો પ્રયોગ કરવાથી નિખાર વધી જાય છે. પણ સૌ પહેલા આ તેલનો પ્રયોગ તમારા હાથ પર કરીને જોઈ લેવો જોઈએ કે તમને આ તેલથી કોઈ એલર્જી તો થતી નથી ને.  

Share this Story:

Follow Webdunia gujarati