Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ગુરૂ પૂર્ણિમા - જાણો વ્રત વિધિ અને શુભ મુહૂર્ત

ગુરૂ પૂર્ણિમા - જાણો વ્રત વિધિ અને શુભ મુહૂર્ત
, શનિવાર, 4 જુલાઈ 2020 (12:55 IST)
ગુરૂ પૂર્ણિમા એક મહત્વનો દિવસ હોય છે. ગુરૂને ભગવાનથી પણ શ્રેષ્ઠ માનવામાં આવે છે. ગુરૂઓને સમર્પિત આ તહેવારને આપણા દેશમાં ખૂબ ધૂમધામથી ઉજવવામાં આવે છે. આ દિવસે શિષ્ય પોતાના ગુરૂની પૂજા કરે છે અને તેમને સન્માન આપે છે. હિંદુ પંચાગ મુજબ અષાઢ મહિનાની પૂર્ણિમાને ગુરૂ પૂર્ણિમાના રૂપમાં ઉજવાય છે. તેને અષાઢ પૂર્ણિમા પણ કહે છે. આ વખતે ગુરુ પૂર્ણિમા 05 જુલાઈના રોજ આવી રહી છે. ગુરુપૂર્ણિમાનો તહેવાર આ વખતે રવિવાર 05 જુલાઈએ ઉજવાશે.
 
ગુરુ પૂર્ણિમાને વ્યાસ પૂર્ણિમા તરીકે પણ ઓળખવામાં આવે છે, કારણ કે આ દિવસ મહાભારતના રચયિતા મહર્ષિ વેદ વ્યાસ જીનો જન્મદિવસ પણ હોય છે. હિન્દુ ધર્મમાં 18 પુરાણોનો ઉલ્લેખ છે, જેના રચેતા પણ મહર્ષિ વેદ વ્યાસ છે. વ્યાસ જીએ તમામ 18 પુરાણોની રચના કરી છે. એટલું જ નહીં, વ્યાસજીને વેદોના વિભાજન કરવાનો પણ યશ પ્રાપ્ત થયો છે. 
 
જાણો ગુરૂ પૂર્ણિમા તિથિનો સમય    
 
 
ગુરુ પૂર્ણિમા તિથિ પ્રારંભ 4 જુલાઇને સવારે 11.33 વાગ્યે  
ગુરુ પૂર્ણિમા તિથિ સમાપ્ત 5 જુલાઈ સવારે 10: 13 સુધી 
 
આ દિવસે ગુરુઓની પૂજા કર્યા બાદ તેમના ચરણોમાં પુષ્પો અર્પણ કરવામાં આવે છે. આ દિવસે, વડીલોને, વૃદ્ધોએ પણ તેમના પગને સ્પર્શ કરવો જોઈએ અને આશીર્વાદ લેવો જોઈએ, કારણ કે તેમની પાસેથી પણ આપણે આપણા જીવનમાં કંઇક શીખતા રહીએ છીએ.  
 
 
આ વખતે ગુરૂ પૂર્ણિમાના દિવસે એટલે કે 5 જુલાઈના રોજ ચંદ્ર ગ્રહણ  (lunar eclipse 2020) પણ લાગી રહ્યુ છે. તેથી આ દિવસે શુભ મુહૂર્તમાં જ પૂજા વગેરે કાર્ય પૂર્ણ કરો.    
 
જાણો ગુરૂ પૂર્ણિમા પૂજા વિધિ  
 
- આ દિવસે દરેક વ્યક્તિ માટે ખાસ છે. ખાસ કરીને વિદ્યા અર્જન કરનારાઓ માટે આ દિવસ પોતાના ગુરૂની સેવા અને ભક્તિ કરી જીવનમાં સફળ થવાનો આશીર્વાદ જરૂર પ્રાપ્ત કરવો જોઈએ. 
- સાથે જ આ દિવસે વિદ્યાની દેવી મા શારદેની જરૂર પૂજા કરવી જોઈએ. 
- આ દિવસે સવારે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને નિયમિત બંને પ્રકારની પૂજા કરો. ત્યારબાદ પરમ પરમેશ્વર સહિત બધા દેવી અને દેવતાઓ પાસેથી આશીર્વાદ પ્રાપ્ત કરો. 
- તમારા ગુરૂની સેવા શ્રદ્ધાભાવથી કરો. 
- સંઘ્યાકાળમાં સામર્થ્ય મુજબ દાન-દક્ષિણા આપીને આશીર્વાદ લો. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ગુરૂ પૂર્ણિમા - જાણો જીવનમાં ગુરૂનું મહત્વ