સમય આ રીતે દગો આપી જશે વિચાર્યુ નહોતુ
માણસ આ હદ સુધી નીચો જશે વિચાર્યુ નહોતું
સ્વર્ગ ધરતી પર ઉઠાવી લાવવાના પ્રયત્નોમાં
માણસ જ સ્વર્ગ તરફ ધપી જશે વિચાર્યુ નહોતું
વિચારીને પોતાના પરસેવાથી જેને ઉછેરતા રહ્યાં
માળી જ એ ફૂલને છળી જશે એ વિચાર્યુ નહોતું
અમે બનાવતા રહ્યા નક્શા નવ નિર્માણના
મૃત્યુમાં નિર્માણ જ ધરાશાયી થઈ જશે એ વિચાર્યુ નહોતુ
સમયની જાદુગરી સમજી ન શક્યુ કોઈ આજ સુધી
ક્યારે ક્યાં કેવી રીતે બધું છૂટી જશે એ વિચાર્યુ નહોતુ.
ડો. શભુનાથ આચાર્ય (સાભાર : કથાબિબ)
ભાવાનુવાદ-કલ્યાણી દેશમુખ