Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

શરદી-ખાંસીમાં કયા ફળ ખાવા ? જાણો 5 Immunity booster fruits

Fruit for cold and cough
, ગુરુવાર, 29 ફેબ્રુઆરી 2024 (06:47 IST)
Fruit for cold and cough
Immunity booster fruits: શરદી-ખાંસી આપણેને ખૂબ પરેશાન કરી શકે છે અને આવી સ્થિતિમાં કેટલાક ફળોના સેવનથી કફ વધીને સ્થિતિ વધુ બગડી શકે છે. તો બીજી બાજુ કેટલાક ફળ એવા છે જેને ખાવાથી શરદી-ખાંસીમાં  રાહત મળે છે. ઉલ્લેખનીય છે કે  જ્યારે આપણે વિટામિન સી અને એન્ટીઑકિસડન્ટોથી ભરપૂર ફળ ખાઈએ છીએ, ત્યારે તે આપની ઈમ્યુનિટી વધારે છે અને સંક્રમણને ઘટાડવામાં મદદ કરે છે. તે કફને તોડવામાં મદદરૂપ છે અને ગળાફાને સાફ કરવામાં પણ મદદ કરે છે. તેથી આ બધા કારણોસર તમારે શરદી-ખાંસીની સમસ્યામાં આ ફળો ખાવા જોઈએ.  
 
શરદી-ખાંસીમાં કયા ફળ ખાવા - Which Fruit is good for Cold and Cough 
 
1. પપૈયું - પપૈયું એક એવું ફળ છે જે વિટામિન સી અને પપૈન નામના એન્ઝાઇમથી ભરપૂર છે. તે પાચનમાં મદદ કરે છે અને ગળફાંને તોડવામાં મદદરૂપ છે. તે શરદીના લક્ષણોથી રાહત આપે છે અને  આ સમસ્યામાં આરામ આપે છે. ઉલ્લેખનીય છે કે પપૈયાની પ્રકૃતિ ગરમ હોય છે તેથી તમે આ સમસ્યામાં તેને ખાઈ શકો છો.
 
 
2. દાડમ - દાડમ ઈમ્યુનીટી વધારનારુ એન્ટીઓક્સીડેન્ટથી ભરપૂર ફળ છે. દાડમ એક એવું ફળ છે જે ખાંસીમાં રાહત આપે છે અને ગળામાં બળતરાની સમસ્યાને ઘટાડે છે. શરદી-ખાંસીમાં તમે તેનું જ્યુસ પણ પી શકો છો, તેને ફ્રીજમાં ન મુકશો. બસ શરદી-ખાંસીમાં દાડમના દાણા કાઢી લો અને આરામથી બેસીને ખાવ.
 
3. સફરજન - દરરોજ એક સફરજન ખાવું તમને ડૉક્ટર અને તમારી શરદી-ખાંસી  દૂર રાખવાની ક્ષમતા ધરાવે છે. સફરજનમાં ફાઇબર અને વિટામિન સીનું સારું મિશ્રણ હોય છે, જે એસિડિટી વધાર્યા વગર રોગપ્રતિકારક શક્તિને સમર્થન  આપવામાં મદદ કરી શકે છે. તેથી, તમે  સફરજનને શરદી-ખાંસી  દરમિયાન ખાઈ શકો છો અથવા તેનો  શીરો બનાવીને ખાઈ શકો છો.
 
4. જાંબુ - બ્લુબેરી, સ્ટ્રોબેરી અને જાંબુ એન્ટીઓક્સીડેન્ટથી ભરપૂર હોય છે. આ ઓક્સિડેટીવ તણાવ સોજાને દૂર કરવામાં મદદ કરે છે, આ ત્યારે લાભકારી સાબિત થાય છે જ્યારે તમારું શરીર સંક્રમણ સામે લડતું હોય.  તેથી, જામુન ખાવ  અથવા તેનું જ્યુસ પીવો 
 
5. અનાનસ - અનાનસમાં બ્રોમેલેન હોય છે, એક એન્ઝાઇમ જે શ્વસન સંબંધી સમસ્યાઓમાં મદદ કરે છે અને કફ અને ગળફા  ના સંચયને ઘટાડે છે, જે   કરીને શરદી-ખાંસી દરમિયાન વિશેષ રીતે ઉપયોગી થઈ શકે છે. તેથી, શરદી-ખાંસી  ની સ્થિતિમાં, અનાનસને રાંધીને ચટણી તેની ચટણી બનાવી લો અથવા  જ્યુસ પીવો    તો બસ શરદી-ખાંસીમાં  તમારે આ ફળો આરામથી ખાવા જોઈએ.
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

મહાશિવરાત્રિ પર, ભગવાન મહાદેવને જરૂર ચઢાવો ભાંગથી બનેલી આ મિઠાઈ