Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

દિવાળી ટાંણે જ ધાંધિયા, મિલરોએ સિંગતેલ એક ડબ્બે સવાસો રૂપિયા મોંઘુ કરી દીધું

દિવાળી ટાંણે જ ધાંધિયા, મિલરોએ સિંગતેલ એક ડબ્બે સવાસો રૂપિયા મોંઘુ કરી દીધું
, ગુરુવાર, 1 નવેમ્બર 2018 (18:14 IST)
સિંગતેલમાં આજે વધુ રૂ।.૧૦ના વધારા સાથે પખવાડિયામાં આશરે રૂ।.૧૫૦નો ભાવવધારો ઝીંકી દેવાતા લોકોમાં રોષની લાગણી જન્મી છે. તાજેતરમાં સૌરાષ્ટ્ર ઓઈલ મિલ એસો.ની ભાજપ સરકારના પ્રધાનની હાજરીમાં મળેલી બેઠકમાં મગફળીનો કૃષિપાક ૪૮ ટકા થશે તેવા અંદાજો જાહેર કરાયા હતા અને હવે તેલના ભાવ પખવાડિયામાં જ રૂ।.૧૨૫થી ૧૫૦ જેટલા વધારી દેવાયા છે. તેલની ખરીદી ટાણે આરંભમાં જ ઉંચા ભાવથી લોકોમાં નારાજગી પ્રસરી છે.
મગફળીના ભાવ ગત વર્ષે ગગડી જતા તેનું વાવેતર નજીવા પ્રમાણમાં ઘટયું હતું અને આ પાક હાલ બજારમાં આવી રહ્યો છે. રાજકોટ યાર્ડમાં મગફળીની આવક સામે વેચાણ નહીં થતા આવક વારંવાર બંધ કરવી પડે છે. તો બીજી તરફ ખેડૂતોને કપાસની જેમ યાર્ડમાં મગફળી પ્રતિ મણ દીઠ રૂ।.૬૭૦થી ૯૭૦ અને જીણી મગફળી રૂ।.૮૬૦થી ૧૦૨૫ના ભાવ આજે નોંધાયા છે. આ પહેલા તેનાથી નીચા ભાવ રહ્યા છે, આમ મગફળીના ભાવ કપાસની સાપેક્ષે ઉંચા રહ્યા નથી.
છતાં મગફળીમાંથી બનતા સિંગતેલના ભાવમાં કૂદકેને ભુસકે વધારો ઝીંકી દેવાયો છે. વેપારી સૂત્રોમાંથી મળતી વિગત અનુસાર પખવાડિયા પહેલા રૂ।.૧૫૫૦માં તેલનો ડબ્બો આપતા તે આજે રૂ।.૧૬૯૦ સુધી ભાવ પહોંચ્યો હતો. મહત્વની વાત એ છે કે ટેકાના ભાવે સરકારે લાખો ટન મગફળી ખરીદ્યા પછી તે મિલરોને તદ્દન નીચા ભાવે વેચી છે. આ વેચાણ હજુ હમણાં સુધી થતું રહ્યું છે. તો પછી આ મગફળીમાંથી નીકળતા તેલનો ભાવ ગરીબ-મધ્યમવર્ગનું તેલ નીકળી જાય એટલી ઝડપે કેમ વધી રહ્યો છે તે સવાલ છે. સરકાર આ મુદ્દે હજુ મૌન સેવી રહી છે, દિવાળી પૂર્વે તેલના ભાવમાં ઘટાડો થાય તેવી લોકમાંગ છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા આવેલા પ્રવાસીઓને અવ્યવસ્થાનો અનુભવ, પાસ કે ટિકિટની નથી કોઈ વ્યવસ્થા