Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ફેંગશુઈ ટિપ્સ : મુખ્ય દરવાજા પર અરીસો ન મુકશો

ફેંગશુઈ ટિપ્સ : મુખ્ય દરવાજા પર અરીસો ન મુકશો
P.R
મુખ્ય દરવાજા પર અરીસો ન મુકવો. અનેક ઘરોમાં પ્રવેશ્યા પછી આપણે જોઈએ છીએ કે ઘરમાં પ્રવેશતા જ સામે અરીસો દેખાય છે. આવો અરીસો હાનિકારક છે.

અરીસાને કારણે મુખ્ય દરવાજામાંથી સારી ઉર્જા પરાવર્તિત થઈને મુખ્ય દરવાજામાંથી જ નીકળી જાય છે. તેવી જ રીતે મુખ્ય દરવાજા સામે ખાલી ભીંત અશુભ ગણાય છે. પણ તે માટે તેની પર અરીસો લગાવીને દોષમુક્ત કરવી એ અત્યંત મોટી ભૂલ છે.

અરીસાને બદલે તે સ્થાન પર નેચરલ સીનરીના ચિત્રો લગાવવા જોઈએ. ચિત્રો જંગલમાં દૂર દૂરના રસ્તાની પગદંડીવાળા કે પછી દૂર સુધી દેખાય તેવા દ્રશ્યોની હોવી જોઈએ, જેથી ઘર વધુ મોટુ હોવાનો આભાસ ઉભો થાય.

Share this Story:

Follow Webdunia gujarati