Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

એક સમયે પતિ ઋષિ કપૂરની ગર્લફ્રેંડને લવ લેટર લખતી હતી નીતૂ સિંહ, ફિલ્મી છે બંનેની લવ સ્ટોરી

એક સમયે પતિ ઋષિ કપૂરની ગર્લફ્રેંડને લવ લેટર લખતી હતી નીતૂ સિંહ, ફિલ્મી છે બંનેની લવ સ્ટોરી
, બુધવાર, 8 જુલાઈ 2020 (10:21 IST)
બોલિવૂડના જાણીતા અભિનેતા ઋષિ કપૂર હવે આપણી વચ્ચે નથી. લ્યુકેમિયાનો બે વર્ષ  સામનો કર્યા બાદ આજે સવારે ઋષિ  કપૂરનું મોત નીપજ્યું હતું. એવું કહેવામાં આવી રહ્યું છે કે જ્યારે તેમણે અંતિમ શ્વાસ લીધા ત્યારે તેમની પત્ની નીતુ કપૂર તેની સાથે હતી.
 
ઋષિ અને નીતુનાં લગ્નને લગભગ ચાલીસ વર્ષ થઈ ગયા છે. બંનેની મુલાકાત 1974 ની ફિલ્મ ઝેરીલા ઇન્સાનના શૂટિંગ દરમિયાન થઈ હતી અને ઋષિ નીતુના પ્રેમમાં પડી ગયા. તે પછી બંનેએ 'અમર અકબર એન્થોની', 'ખેલ ખેલ મેં', 'કભી કભી', 'દો દૂની ચાર' જેવી ઘણી ફિલ્મોમાં કામ કર્યું. કપલના બે બાળકો છે - રિદ્ધિમા અને રણબીર
"https://www.instagram.com/p/B3lsiN7A1JY/embed/" height="765" width="665" frameborder="0" scrolling="no">
ઋષિ કપૂરે તેની અને નીતુની લવ સ્ટોરી વિશેના ઇન્ટરવ્યુ દરમિયાન ખુલાસો કર્યો હતો, “હું નીતુને 1974 માં ફિલ્મ 'ઝેરીલા ઇન્સાન'ના શૂટિંગ દરમિયાન મળ્યો હતો અને તે જ સમયે મને નીતુ સાથે પ્રેમ થઈ ગયો હતો. મને યાદ છે કે તે સમયે મારી ગર્લફ્રેન્ડ સાથે કંઇક બાબતે દલીલ થઈ હતી અને મારું હૃદય તૂટી ગયું હતું. આ લડત પછી, મેં તેમનું હૃદય ફરીથી જીતવા માટે પ્રયત્નશીલ પ્રયત્ન કર્યો અને નીતુએ મને તેની માટે ટેલિગ્રામ લખવામાં મદદ કરી. "
ઋષિ કપૂરે વધુમાં કહ્યું કે, "સમય વીતતાની સાથે જ હું મારી ગર્લફ્રેન્ડને ભૂલી જવા લાગ્યો અને મને સમજાયું કે નીતુ મારા માટે પરફેક્ટ ફિટ છે. સાથે મળીને 'ઝેરીલા ઈંસાન'નું શૂટિંગ પૂર્ણ કર્યા પછી, હું મારા અન્ય પ્રોજેક્ટ્સ માટે યુરોપ ગયો હતો અને ત્યાં હું નીતુને મિસ કરી રહ્યો હતો, તેની યાદ આવી રહી હતી. ત્યારબાદ મેં યુરોપમાં રહીને ઘણી વખત નીતુને ટેલિગ્રામ મોકલ્યો અને તેમાં લખ્યું કે હું તેના વિશે વિચારી રહ્યો છું. 
બીજી બાજુ  નીતુસિંહે કહ્યું કે “મને ઋષિ પહેલી નજરે બિલકુલ ગમ્યો નહોતો.  તેઓ મારી દરેક બાબતે મને ટોકતા હતા. જેના કારણે મને લાગ્યું કે તે ખૂબ અકડુ માણસ છે પણ પછી ધીરે ધીરે અમારી દોસ્તી થઈ અને પછી લગ્ન. "
 
ઋષિ સાથે લગ્ન પછી નીતુએ પોતાના કેરિયરને અલવિદા કહ્યું. ત્યારે નીતુ તે સમયે પોતાના કેરિયરના ટોચ પર હતી.
 
ઉલ્લેખનીય છે કે  ઋષિ કપૂરને પ્રથમ વખત 2018 માં કેન્સર હોવાની જાણ થઈ ત્યારબાદ આ અભિનેતા એક વર્ષ સુધી ન્યૂયોર્કમાં રહ્યા. નીતુ સિંહ આ મુશ્કેલ સમયમાં દરેક ક્ષણે તેની સાથે હતી. સ્વસ્થ થયા પછી, ઋષિ કપૂર ગયા વર્ષે જ ભારત પરત ફર્યા હતા.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

સુશાંત સિંહના મોતના 23 દિવસ પછી રીલિઝ થયુ તેમની અંતિમ ફિલ્મનુ ટ્રેલર, ફેંસ થયા ઈમોશનલ