Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

અયોધ્યાથી નિરાશ થઈને પરત ફર્યા 'રામાયણ'ના રામ 'અરુણ ગોવિલ', અભિનેતાએ જણાવ્યું આ મોટું કારણ

અયોધ્યાથી નિરાશ થઈને પરત ફર્યા 'રામાયણ'ના રામ 'અરુણ ગોવિલ', અભિનેતાએ જણાવ્યું આ મોટું કારણ
, બુધવાર, 24 જાન્યુઆરી 2024 (15:06 IST)
- 'અરુણ ગોવિલ'   અયોધ્યાથી નિરાશ થઈને પરત ફર્યા 
-સપનું પૂરું થયું પણ મને દર્શન નથી થયા

Arun Govil Returned from Ayodhya disappointed-22 જાન્યુઆરીએ રામલલા પ્રાણ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ અયોધ્યામાં ધાર્મિક વિધિ મુજબ પૂર્ણ થયો હતો. ફિલ્મ જગતના ઘણા સ્ટાર્સે પણ તેમાં ભાગ લીધો હતો. સીરિયલ 'રામાયણ'માં ભગવાન રામની ભૂમિકા ભજવનાર અભિનેતા અરુણ ગોવિલ પણ આ કાર્યક્રમનો ભાગ બન્યો હતો. પરંતુ, કાર્યક્રમ પછી તે એક બાબતને લઈને એકદમ નિરાશ દેખાઈ રહ્યો હતો.
 
તમને જણાવી દઈએ કે, તે આ ઐતિહાસિક ક્ષણને લઈને ખૂબ જ ખુશ દેખાઈ રહ્યા હતા. અભિનેતા કાર્યક્રમના ઘણા દિવસો પહેલા અયોધ્યા પહોંચી ગયો હતો. તેણે ને કહ્યું, 'ભાઈ, સપનું પૂરું થયું પણ મને દર્શન નથી થયા... હું કશું કહી શકું તેમ નથી.'
 
અન્ય મીડિયા સાથેની વાતચીતમાં અરુણે દર્શન ન કરવા પાછળનું કારણ જણાવ્યું હતું કે ભારે ભીડને કારણે તેઓ રામ લલ્લાના દર્શન કરી શક્યા નથી, પરંતુ કોઈ દિવસ તેઓ શાંતિથી આવીને રામ લલ્લાના દર્શન કરશે. અરુણે પોતાના સોશિયલ મીડિયા પર અભિષેક સમારોહની ઘણી તસવીરો શેર કરી છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

રાષ્ટ્રીય પર્યટન દિવસ 2024 - આ પાંચ ભારતીય સ્થળ દુનિયાભરમાં છે પ્રસિદ્ધ, વિદેશી પર્યટકોની રહે છે ભીડ