Webdunia - Bharat's app for daily news and videos

Install App

હાર્દિક પટેલે ખોડલધામ પ્રમુખ નરેશ અને ઉમિયાધામ પ્રમુખ પ્રલ્હાદ પટેલના હસ્તે કર્યા પારણાં

Webdunia
બુધવાર, 12 સપ્ટેમ્બર 2018 (15:28 IST)
હાર્દિક પટેલ છેલ્લા 19 દિવસથી આમરણાંત ઉપવાસ કરી રહ્યો છે. ત્યારે તેના પારણાં ખોડલધામના નરેશ પટેલ અને ઉમિયાધામના પ્રહલાદ પટેલ અને સીકે પટેલના હસ્તે સાદુ પાણી, લીંબુ પાણી અને નારિયેળ પાણી પીને પારણાં કર્યા હતા. હાર્દિકના પારણાં કરાવવા માટે પાટીદાર સંસ્થાઓના અગ્રણીઓ પહોંચ્યા હતા. હાર્દિકની ઉપવાસી છાવણીમાં છએ છ સંસ્થાના આગેવાનો આરૂઢ થઈ ગયા હતા. હાર્દિક પટેલના ઉપવાસથી કોઈ અસર સરકાર પર થઈ ન હતી અને સમાજ જે હાર્દિકની પડખે આવ્યો હતો. હાર્દિકના સમર્થનમાં દેશભરમાંથી નેતાઓ, લોકો આવી રહ્યા હતા. પાટીદારો જ નહીં અન્ય સમાજનું પણ તેને સમર્થન મળી રહ્યું હતું, ત્યારે આજે હાર્દિકના પારણાની જાહેરાત કરવામાં આવી હતી. પાસ કન્વીનર મનોજ પનારાએ પ્રેસ કોન્ફરન્સ યોજીને હાર્દિકને  પારણાની જાહેરાત કરવામાં આવી હતી.  પાટીદાર સમાજનના આગેવાનોના મત છે કે આગળ આંદોલન ચાલુ રાખવા માટે પણ હાર્દિકે સ્વસ્થ રહેવુ જોઈએ. પાસના પ્રવક્તા મનોજ પનારાએ કહ્યુ હતુ કે આ આંદોલનનો અંત નથી પણ હવે પાટીદાર સમાજ પોતાની માંગોને લઈને આંદોલન વધારે જલદ બનાવશે. આખા રાજ્યમાં ઠેર ઠેર યાત્રાઓ કાઢવામાં આવશે તેમજ સરકાર સમજી લેકે મોટી સંખ્યામાં લોકો રસ્તાઓ પર નીકળશે. કોઈ પણ સંજોગોમાં સરકારને ઝુકાવીને રહીશું.
 
 

સંબંધિત સમાચાર

Summer Beauty tips- ઉનાડામાં આ રીતે રાખો સ્કીનને હેલ્દી

પરાઠા બનાવતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, દિવસ બની જશે ખાસ

બાળક માટે ઘરે જ બનાવો Cerelac જાણો રેસીપી

Zero Shadow Day- આજે ઝીરો શેડો ડે છે... બપોરે આ સમયે કોઈનો પડછાયો નહીં પડે! જાણો કેમ આવું થતું હશે?

Mirror Cleaning tips- અરીસાની સફાઈ માટે અજમાવો આ સરળ ટીપ્સ

'છાવા'માંથી વિકી કૌશલનો ફર્સ્ટ લૂક વાયરલ

ગુજરાતી જોક્સ - બેંકમાં

ગુજરાતી જોક્સ - આવુ ઈશ્ક છે

ગોવિંદાની ભાણેજ આરતી સિંહની સંગીત સેરેમની Photos - ડાંસ કરતી જોવા મળી અભિનેત્રી, અંકિતા લોખંડે અને રશ્મિ દેસાઈ

પ્રીતિ ઝિંટા ફિલ્મોમાં કરી રહી છે કમબેક, આ ફિલ્મમાં સની દેઓલ સાથે જામશે જોડી

આગળનો લેખ
Show comments