Webdunia - Bharat's app for daily news and videos

Install App

Gujarati Nibandh - હાય રે ! મોંઘવારી, મોંઘવારી અને મધ્યમવર્ગ

Webdunia
શુક્રવાર, 17 જુલાઈ 2020 (11:30 IST)
વધતી જતી મોંઘવારી એ આપણા દેશની સૌથી ગંભીર સમસ્યા છે. મોંઘવારીની કારમી ભીંસને લીધે દેશના ગરીબ અને મધ્યમવર્ગના લોકોનું જીવન દુષ્કર બની ગયું છે. અનાજ, કઠોળ, ચા, ખાંડ, શાકભાજી કે સાબુ જેવી જીવનજરૂરી ચીજવસ્તુઓના ભાવોમાં થતા બેફામ વધારાથી આજે સામાન્ય માનવીઓ ખૂબ પરેશાન છે. નિરંકુશપણે વધતી જતી મોંઘવારી દેશના અર્થતંત્રને પણ ખોરવી નાંખે છે. આપણા દેશની સિત્તેર ટકાથી પણ વધુ વસ્તી ખેતી પર નભે છે. છતાં દુષ્કાળ કે અતિવૃષ્ટિને કારણે અનાજની અછત ઊભી થાય છે, ત્યારે અનાજનાં કાળાંબજાર અને સંગ્રહખોરી ફૂલેફાલે છે. અનાજના ભાવ વધે તેની સીધી કે આડકતરી અસર તમામ ઉદ્યોગધંધા પર થાય છે. કામદાર વર્ગ મોંઘવારીભથ્થામાં વધારો માગે છે. એ ખર્ચને પહોંચી વળવા માટે ઉદ્યોગપતિઓ પોતાના ઉત્પાદનોની કિંમતો વધારે છે. આમ, મોંઘવારીનું વિષચક્ર ક્રમશ: બધા ક્ષેત્રોને આવરી લે છે.
 
ઘણી વાર આંતરાષ્ટ્રીય બજારમાં ભાવોની વધઘટ પણ દેશમાં મોંઘવારી માટે કારણભૂત બને છે. દા.ત., આરબ દેશો ખનિજ તેલના ભાવોમાં અવારનવાર વધારો કરતા રહે છે. તેથી આપણા દેશમાં પણ પેટ્રોલ, ડીઝલ વગેરે આદિના ભાવો વધે છે. આની સીધી અસર વાહનવ્યવહાર ઉપર થાય છે. રિક્ષા, ટેક્સી, ટ્રકો વગેરેનાં ભાડાં વધે છે. પરિણામે સમગ્ર બજાર પર મોંઘવારીની અસર થાય છે.
 
શાળા-કૉલેજમાં પ્રવેશ અને ભણતરના ખર્ચા વધ્યા છે. ઉપરાંત ગણવેશ અને પુસ્તકો ખરીદવા માટે પણ વાલીઓએ ઠીક ઠીક ખર્ચ કરવો પડે છે. આમ, દિનપ્રતિદિન વધતી જતી મોંઘવારી સામાન્ય માનવી માટે કોઈ જીવલેણ રોગ જેવી ભયાનક બની ગઈ છે. આવક અને ખર્ચના છેડાને માંડ માંડ ભેગા કરતા કરોડો મધ્યમવર્ગીય લોકો મોંઘવારી વધતાં કઈ વસ્તુઓના વપરાશમાં કાપ મૂકવો, એની વિમાસણમાં મુકાઈ જાય છે. ગૃહકંકાસ, સામાજિક અશાંતિ અને આપઘાતના બનાવોના મૂળમાં કેટલીક વાર મોંઘવારી પણ જવાબદાર હોય છે.
 
મોંઘવારીના વિષચક્રથી દેશને બચાવવા માટે સરકારે ખેતીના વિકાસને અગ્રતા આપવી જોઈએ. દુકાળ કે અતિવૃષ્ટિના સમયે ખેતી પર વિપરીત અસર ન થાય એવા ઉપાયો યોજવા જોઈએ. કાળાંબજાર, સંગ્રહખોરી અને ભ્રષ્ટાચાર જેવા અપરાધો સામે કડક હાથે કામ લેવું જોઈએ. મોજશોખની વસ્તુઓના ઉત્પાદન કરતાં જીવનજરૂરિયાતની વસ્તુઓનું ઉત્પાદન વધે એ માટે વિશેષ પ્રયાસો કરવા જોઈએ. ગૃહઉદ્યોગો અને લઘુ ઉદ્યોગોના વિકાસ દ્વારા ઉત્પાદન અને રોજગારીની તકો વધારીને પણ મોંઘવારીને અંકુશમાં લઈ શકાય. હડતાલો, બંધ, કામચોરી વગેરેથી દૂર રહીને લોકોએ સહકારની ભાવના કેળવવી જોઈએ. વેપારીઓ તેમજ ઉદ્યોગપતિઓએ પણ સમાજ પ્રત્યેની પોતાની ફરજ સમજીને ભાવસપાટીને સ્થિર રાખવા શક્ય એટલો પ્રયત્ન કરવો જોઈએ.
 
મોંઘવારી આપણા સૌનાં સુખ, સમૃદ્ધિ અને પ્રગતિનો સૌથી મોટો શત્રુ છે. એ અંકુશમાં આવશે તો જ દેશનો સર્વાંગી વિકાસ થશે.

સંબંધિત સમાચાર

Relationship- પત્નીએ ક્યારેય પતિ સાથે આવું વર્તન ન કરવું જોઈએ, તેનાથી સંબંધ નબળા પડી શકે છે.

Relationship tips- પાર્ટનરની આ વાતથી જણાવે છે કે તમારુ પાર્ટનર તમને ચીટ કરી રહ્યો છે

Relationship tips- લગ્નથી પહેલા માતાઓ જરૂર શીખડાવો દીકરીને આ 5 વાત

Relationship tips- બોરિંગ રિલેશન માટે રામબાણ છે આ 3 ટૉપિક

True Love- સાચા પ્રેમને કેવી રીતે શોધવુ

Cold Facial- ઉનાળામાં ઘરે જ કરો ફેશિયલ ચેહરા પર આવશે ચમક

Quick Recipe: ડુંગળી અને કાકડી સાથે ઝડપથી સ્વાદિષ્ટ સેન્ડવીચ તૈયાર કરો

પેટ ઓછું કરવા માટે આ યોગ આસન દરરોજ 10 મિનિટ કરો.

World Earth Day 2024 - જાણો 22 એપ્રિલે જ કેમ ઉજવાય છે આ દિવસ world Earth Day

બાંધેલો લોટ ફ્રિજમાં કેટલો સમય સુધી મૂકી શકાય?

આગળનો લેખ
Show comments