Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
મકર-આજીવિકા અને ભાગ્ય
મકર રાશીના લોકો પોતાનું દરેક કામ શાસ્‍ત્ર સમજીને કરે છે. તેઓ સારા કલાકાર, રાજનીતિજ્ઞ, લેખક, કાયદાના જાણકાર, સલાહકાર, વિજ્ઞાન અને કૃષિકાર્યોમાં સફળતા પ્રાપ્ત કરી શકે છે. અન્‍ય વ્‍યવસાય જેવાકે, શિલ્‍પકાર, જન-સ્વાસ્થ્ય વિશેષજ્ઞ, વિધિ અધિકારી, સેરેમિક એંજીનીયર અને મજદૂર નેતા ના રૂપમાં પણ તેમને સારી સફળતા મળે છે. મકર રાશીવાળા કલાપ્રિય, ઉંચા આદર્શોવાળા, અને નેતૃત્વ શક્તિ ધરાવતા હોય છે. માટે તેઓ રાજનીતિ ના ક્ષેત્રમાં પોતાનો વિકાસ કરી એક સફળ નેતા બની શકે છે. સરકારી નોકરીઓ, સમાજસેવી સંસ્થાઓ તેમજ વ્યવસાયિક સંસ્થાનોના પદ પર પણ આ રાશીવાળા અધિક ઉપયુક્ત હોય છે. આ રાશીવાળા વ્યક્તિ જો કલાકાર હશે તો કોઇ નવી શોધ કરીને ગૌરવ પ્રાપ્ત કરી શકે છે. આ લોકોમા કોઇને કોઇ કલા જરુર હોય છે. આ રાશીમાં મંગળ નુ સ્થાન શુભ ફળ આપનારું હોય છે, અને શનિ પણ સારું ફળ આપનારો હોય છે.

રાશી ફલાદેશ