Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

કપૂરના આ ઉપાયોથી ક્યારેય નહી રહે પૈસાની ઉણપ

કપૂરના આ ઉપાયોથી ક્યારેય નહી રહે પૈસાની ઉણપ
, શુક્રવાર, 19 ઑક્ટોબર 2018 (18:00 IST)
જો તમારી કિસ્મત તમારો સાથ નથી આપી રહી તો નિરાશ થ વાની જરૂર નથી. કપૂર તમારા જીવનની સમસ્યાઓને દૂર કરી શકે છે. ધન સમસ્યા, વાસ્તુદોષ, રોગ બધી તકલીફોથી કપૂર તમને બચાવી શકે છે. જાણો કેવી રીતે 
webdunia
- વાસ્તુદોષને દૂર કરવા માટે ઘરમાં કપૂરની બે ગોળી મૂકો. જ્યારે આ ઓગળી જાય તો ફરી  બે ગોળી મૂકો. સમય-સમય પર તમે કપૂર મૂકતા રહો એનાથી વાસ્તુદોષ દૂર થાય છે. 
 
- ધનની ઉણપમાંથી ગુજરી રહ્યા છો તો થોડા દિવસો સુધી રાતના સમયે ચાંદીની વાડકીમાં કપૂર અને લવિંગ પ્રગટાવો. 
 
- ઘરની પરેશાનીઓનો અંત નથી આવી રહ્યો તો કપૂરને ઘીમાં પલાળી સવાર અને સાંજના સમયે તેને પ્રગટાવો. એમાંથી નીકળતી ઉર્જા દ્વારા ઘરની અંદર સકારાત્મક ઉર્જા આવે છે. 
 
- રોગોથી દૂર રહેવા માંગતા હોય તો શનિવારે કપૂરના તેલના ટીંપા પાણીમાં નાખો અને પછી તે પાણીથી સ્નાન કરો. 
 
- જો લગ્નમાં કોઈ પણ પ્રકારની સમસ્યા આવી રહી હોય તો 6 કપૂરના ટુકડા અને 36 લવિંગના ટુકડા લો. હવે તેમાં ચોખા અને હળદરને મિક્સ કરી લો ત્યારબાદ દેવી દુર્ગાને તેનાથી આહુતિ આપો. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

તમારી રાશિ મુજબ જાણો તમને Life માં કેટલી વાર થશે Love