Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

સુખદ ભવિષ્ય માટે કરો લાલ કિતાબના નાના-નાના ચમત્કારી ઉપાય

સુખદ ભવિષ્ય માટે કરો લાલ કિતાબના નાના-નાના ચમત્કારી ઉપાય
, બુધવાર, 15 ફેબ્રુઆરી 2017 (10:01 IST)
લાલ કિતાબ પર આધારિત ઘણા ઉપાયો એવા છે જેને અપનાવીને આપણે આપણું જીવન સુખમય અને સમૃદ્ધિશાળી બનાવી શકીએ છીએ. આ પુસ્તક જીવન સાથે સંબંધિત લગભગ બધી સમસ્યાઓનો ઉકેલ માટે જાણીતુ છે.  તેમા બધા પહેલુઓ સાથે જોડાયેલ સમસ્યાઓનો ઉપાય તેમા આપેલો છે. આ ઉપરાંત આ ઉપાયો ફક્ત તમને જ ઠીક નથી કરતા પણ આનાથી તમારી આસપાસની બીજી વસ્તુઓ પણ ઠીક થઈ જાય છે.  આ સંપૂર્ણ રીતે વાતાવરણ સાથે અનુકૂળ છે.  ખુદ અનુભવ કરવા માટે અપનાવો કેટલાક ટોટકા જેનાથી સંસારની દરેક ખુશી તમને મળી જશે. 
 
આર્થિક સમસ્યા -  જો તમે હંમેશા આર્થિક સમસ્યાથી પરેશાન રહો છો તો એ માટે તમે 21 શુક્રવાર 9 વર્ષથી નાની  વયની 5 કન્યાઓને ખીર અને સાકરનો પ્રસાદ વહેંચો. 
 
ધન માટે - આ માટે તમે ઘર, દુકાન કે શો-રૂમમાં એક અલંકારિક ફુવારો મુકો અથવા એક માછલી ઘર જેમા 8 સોનેરી અને એક કાળી માછલી મુકો. તેને ઉત્તર કે ઉત્તરપૂર્વ તરફ મુકો.  જો કોઈ માછલી મરી જાય તો તેને કાઢીને નવી માછલી તેમા નાખી દો. 
 
પરેશાનીથી મુક્તિ માટે - આજકાલ દરેક વ્યક્તિ કોઈને કોઈ કારણથી પરેશાન છે. કારણ કોઈપણ હોય તમે એક તાંબાના પાત્રમાં જળ ભરીને તેમા થોડુ લાલ ચંદન મિક્સ કરી દો. એ પાત્રને માથા પાસે મુકીને રાત્રે સૂઈ જાવ. સવારે એ જળને તુલસીના છોડ પર ચઢાવી દો. ધીરે ધીરે પરેશાની દૂર થશે.  

કુંવારી કન્યાના વિવાહ હેતુ - જો કન્યાના લગ્નમાં કોઈ  અવરોધ આવી રહ્યો હોય તો પૂજાવાળા 5 નારિયળ લો. ભગવાન શિવની મૂર્તિ કે ફોટો આગળ મુકીને ૐ શ્રી વર પ્રદાય શ્રી નામ: મંત્રનો પાંચ માળા જાપ કરો. પછી પાંચેય નારિયળ શિવજીના મંદિરમાં ચઢાવી દો. વિવાહના અવરોધો આપમેળે જ દૂર થતા જશે. 
 
વેપાર વધારવા માટે - શુક્લ પક્ષમાં કોઈપણ દિવસે તમારી ફેક્ટરી કે દુકાનના દરવાજાની બંને બાજુ બહારની તરફ થોડો ઘઉંનો લોટ મુકી દો. ધ્યાન રાખો કે આવુ કરતા તમને કોઈ જોઈ ન લે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

અંગારિકા સંકષ્‍ટ ચતુર્થી : વ્રતકથા-મહત્વ અને જ્યોતિષ