Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

શંકરસિંહ વાઘેલા રાજકારણમાં ફરી સક્રિય થયાં, NCPમાં જોડાવા અંગેના અહેવાલ

શંકરસિંહ વાઘેલા રાજકારણમાં ફરી સક્રિય થયાં, NCPમાં જોડાવા અંગેના અહેવાલ
, ગુરુવાર, 24 જાન્યુઆરી 2019 (14:40 IST)
ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી રાજકારણથી અલગ રહેલા શંકરસિંહ હવે NCP સાથે જોડાયા હોવાના અહેવાલ મળી રહ્યા છે. NCPના નેતા શરદ પવાર શંકરસિંહને પાર્ટીમાં સામેલ કરવા માટે અમદાવાદ આવશે. શંકરસિંહ વાઘેલાએ NCPના અધ્યક્ષ શરદ પવાર સાથે મહત્વપૂર્ણ બેઠક કરી હતી જેમાં ગુજરાત NCPના નેતા પ્રફુલ પટેલ પણ હાજર રહ્યા હતા. જો કે NCP દ્વારા કોઇ પણ પ્રકારની સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. પરંતુ શંકરસિંહ વાઘેલા દ્વારા આઅંગે તેનવા ટ્વિટર પર ટ્વિટ કરીને જાણકારી આપી હતી, કે તેમણે NCPના અધ્યક્ષ શરદ પવાર અને પ્રફુલ પટેલ સાથે મુલાકાત કરવામાં આવી છે.દિવાળીમાં વાઘેલા દ્વારા એનસીપીના અધ્યક્ષ સાથે થયેલી બેઠકથી રાજકારણ ગરમાયું છે. મહત્વનું છે, કે વાઘેલાના પુત્ર મહેન્દ્ર સિંહે પણ ભાજપમાંથી રાજીનામુ આપી દીધું છે. ત્યારે પિતા અને પુત્ર આગામી સમયમાં લોકસભાની ચૂંટણી NCPમાંથી લડે તેવી સંભાવનાઓ પણ દેખાઇ રહી છે. અને આગામી દિવસોમાં વાઘેલાને NCP તરફથી ગુજરાતની લોકસભા માટે ગુજરાતાની કમાન સોપાય તેવી પણ શક્યતાઓ દેખાઇ રહી છે. વઘેલાએ મોદીને હરાવા માટે સર્જાયેલા મહાગઠબંધનને સમર્થન આપ્યું છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

બજેટ ડિક્સનરી - જાણો શુ છે જીડીપી(GDP)નો અર્થ