Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ગુજરાતમા પદમાવત નહીં દર્શાવવામાં આવે - મલ્ટીપ્લેક્સ થિએટર એસોસિએશન

ગુજરાતમા પદમાવત નહીં દર્શાવવામાં આવે -  મલ્ટીપ્લેક્સ થિએટર એસોસિએશન
, બુધવાર, 24 જાન્યુઆરી 2018 (17:12 IST)
ગુજરાત ભરમાં પાછલા અઠવાડિયાથી પદ્માવતને લઈ વિરોધ પ્રદર્શનો, આગચંપી અને તોડફોડની ઘટના બની રહી છે. ગુજરાત સરકાર અને પોલીસે પદ્માવત અંગે સુપ્રિમ કોર્ટનાં ચૂકાદા પ્રમાણે ફિલ્મને રિલીઝ કરવાની છૂટ આપી અને પોલીસ બંદોબસ્ત સાથે ફિલ્મ રિલીઝ કરવાની ખાતરી આપી હતી. સમગ્ર ગુજરાતમાં પદ્માવતને લઈ કરણીસેના અને રાજપુત સમાજના યુવાનો દ્વારા થિએટર માલિકો સહિત મોલના માલિકોને અપીલ કરવામાં આવી હતી કે ફિલ્મને રિલીઝ કરવામાં આવે નહી. જો રિલીઝ થશે તો કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર જોખમ ઉભું થઈ શકે છે એવી જાહેરાત કરવામાં આવી હતી.

અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા અને સૌરાષ્ટ્રમાં ફિલ્મને પ્રદર્શિત નહી કરવા બાબતે ગુજરાત મલ્ટીપ્લેક્સ થિએટર એસોસિએશનનાં પ્રમુખ મનુ પટેલે અમદાવાદ ખાતે પત્રકાર પરિષદ સંબોધી હતી. મનુ પટેલે પત્રકારોને માહિતી આપતા જણાવ્યું કે ગુજરાતમાં કોઈ પણ મલ્ટીપ્લેક્સ કે થિએટરમાં વિવાદાસ્પદ ફિલ્મ પદ્માવત પ્રદર્શિત કરવામાં આવશે નહી.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Budget 2018: જાણો શુ હોય છે કોર્પોરેટ ટેક્સ (corporate tax)