Webdunia - Bharat's app for daily news and videos

Install App

લાઈવ TV શો દરમિયાન જાણીતી લેખિકાનુ મોત, જીવન યાત્રા બતાવતા-બતાવતા અટક્યો જીવ

Webdunia
મંગળવાર, 11 સપ્ટેમ્બર 2018 (11:01 IST)
જાણીતી લેખિકા રીતા જતિંદરનો દૂરદર્શનના એક લાઈવ શો દરમિયાન નિધન થઈ ગયુ. લાઈવ શો માં તે પોતાની જીવન-યાત્રાનો ઉલ્લેખ કરી રહી હતી અને આ દરમિયાન તે બેહોશ થઈ ગઈ.  તેમના નિધન પર તેમના મિત્ર અને પ્રશંસકોના શોક વ્યક્ત કર્યો. 
 
સોમવારની સવારે દૂરદર્શનના કાશ્મીર ચેનલ પર પ્રતિષ્ઠિત શિક્ષાવિધ રીતા જતિંદરનો સાક્ષાત્કાર કરવામાં આવી રહ્યો હતો. એ દરમિયાન આ ઘટના બની. જાણીતા કલાકાર લેખક અને સામાજીક કાર્યકર્તા રીતા જતિંદર જમ્મુમાં રહેતી હતી અને તે ગુડ મોર્નિંગ કાશ્મીર શો માં અતિથિ હતી. 
 
એક લેખકના રૂપમાં પોતાની યાત્રાનો ઉલ્લેખ કરતા તેમનો અવાજ અચાનક રોકાય ગઈ અને તે ખુરશીમાં જ ફસડાઈ ગઈ. તેમનો શ્વાસ વધી ગયો અને શો ના મેજબાન પણ સ્તબ્ધ થઈ ગયા. 
 
તેમને એસએમએચએસ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા જ્યા તેમને મૃત ઘોષિત કરવામાં આવ્યા. તેમના પાર્થિવ શરીર અંતિમ સંસ્કાર માટે જમ્મુ પહોંચાડવામાં આવ્યા. રાજ્યપાલ સત્ય પાલ મલિકે રીતા જતિંદરના નિધન પર દુખ વ્યક્ત કર્યુ. 
 
તેમણે એક શોક સંદેશમાં લેખિકાની આત્માની શાંતિ અને શોકસંતુપ્ત પરિવારે આદુખ સહન કરવાની તાકત આપવાની પ્રાર્થના કરી. રીતા જતિંદર ઓછી વયમાં જ પાકિસ્તાનના લાહોરથી જમ્મુ કાશ્મીર આવી ગઈ હતી. જમ્મુ કાશ્મીરમાં તેમને ખૂબ નામ કમાવ્યુ. 

સંબંધિત સમાચાર

ડાયાબિટીસના દર્દી આ રીતે કરો જાંબુનો ઉપયોગ, તેના પાનથી લઈને બીજ સુધી દરેક વસ્તુ છે લાભકારી

Ram Navami Rangoli Design 2024- રામ નવમી રંગોળીની ડિઝાઇન

Ram Navami 2024: રામનવમી પર રામલલાને આ વિશેષ પ્રસાદ ચઢાવો, પ્રસન્ન થશે

Kanya Pujan Prasad Recipe: કન્યા પૂજનમાં નવ દુર્ગા માટે બનાવો મેંસો બાસુંદી જાણો રેસીપી

Besan On Face- ચણાનો લોટ ચહેરાની ત્વચાને સાફ કરવામાં મદદ કરશે, જાણો કેવી રીતે?

ઓસ્ટ્રેલિયાના સિડની ખાતે યોજાશે ઇન્ટરનેશનલ ગુજરાતી ફિલ્મ ફેસ્ટિવલની 5મી સિઝન

જોક્સ ચંપલને મિક્સ

સલમાન ખાનના ઘરની બહાર ફાયરિંગ કરનારા બંને શૂટરોની ધરપકડ

Salman Khan House Firing: સલમાન ખાનના ઘર પર કેમ કરવામાં આવ્યો ગોળીબાર ? સામે આવ્યા 2 મોટા કારણ

સાઉથ ઈંડસ્ટ્રીના જાણીતા ફિલ્મ નિર્માતાએ પૈસાની તંગીને કારણે કરી આત્મહત્યા

આગળનો લેખ
Show comments