Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

મધર્સ ડે : માં કરતાં વધુ મહત્વનું વિશ્વમાં કોઈ નથી..

મધર્સ ડે : માં કરતાં વધુ મહત્વનું વિશ્વમાં કોઈ નથી..
, શનિવાર, 9 મે 2015 (13:17 IST)
માં ,આ શબ્દ કોઈ પણ વ્યક્તિ ના જીવનમાં સૌથી મહત્વપૂર્ણ શબ્દ છે. ઈશ્વર બધી જગ્યાએ હાજર રહી શકતું નથી. એ માટે તેમણે ધરતી પર માંના સ્વરૂપનું સર્જન કર્યુ. જે બધી મુશ્કેલ પળોમાં પોતાના બાળકને સહયોગ આપે છે. તેને દરેક તકલીફથી દૂર રાખે છે. બાળક જ્યારે જન્મે છે, તો સૌથી પહેલા એ માં બોલતા શીખે છે.માતા જ તેની પ્રથમ મિત્ર બને છે. માતા તેની સાથે રમે છે અને તેને ખોટું અને યોગ્ય વાતોનુ ભાન કરાવે છે. માતાના રૂપે બાળકને નિઃસ્વાર્થ પ્રેમ અને બલિદાનની અનુભૂતિ થાય છે, તેથી માં બનવું કોઈ પણ મહિલાને પૂર્ણતા આપે છે. 
 
આજે મધર્સ ડે છે. આ દિવસ બાળકોના જીવનમાં સૌથી મહત્વની વ્યક્તિ માતાને સમર્પિત છે. આ દિવસ પણ  અન્ય કોઇ દિવસ જેમ વિદેશી સંસ્કૃતિએ આપ્યો છે. પણ આજે જ્યારે બધાની જીવનશૈલી ખૂબ જ વ્યસ્ત હોવાને કારણે તેની પાસે  તેમની માતા માટે સમય નથી રહેતો. તો આપણે એક દિવસ તો આપણી માતાના નામે કરી શકીએ છીએ.  
 
માં પોતાના બાળકોને વિશ્વની બુરાઈઓ સામે રક્ષણ આપે છે અને તે પોતાના બાળક માટે પ્રેરણાસ્ત્રોત પણ છે. આપણે જો ભારતના ઇતિહાસમાં જોઈએ તો , આપણને એવા ઘણાં ઉદાહરણો મળી રહેશે જેમાં માતા એ જ તેમના બાળકોને મહાન બનાવવા સૌથી મહત્વની ભુમિકા ભજવી છે. ધ્રુવની માતા સુનીતિ હોય, કે મહાન  શિવાજીની માતા જીજાબાઈ ,દરેકે પોતાના બાળકોના જીવનમાં આવતી મુશ્કેલીનો સામનો કરવા શિક્ષણ આપ્યું અને તેમને એક ઉત્તમ જીવન પ્રસ્તુત કર્યું. હાલ કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધી, કોકિલા અંબાણી જેવા મોટા નામી લોકો જેમણે તેમના બાળકોને સ્થાપિત  અને  પ્રોત્સાહીત કરી અસરકારક ભૂમિકા ભજવવા તૈયાર કર્યા છે.  મોટા નામો જ નહી તમે કોઈ પણ સામાન્ય સ્ત્રીને જુઓ જેટલી સમર્પણ અને નિષ્ઠા તે પોતાના સંતાન માટે કરે છે તે અંગે કોઈ પુરૂષ ક્યારેય વિચાર કરી શકતો નથી. 
 
 
મા સાથે સંકળાયેલી સૌથી મોટી વિશેષતા એ છે કે આજના ભૌતિકવાદી યુગમાં જ્યા બધા સંબંધો સ્વાર્થથી પોષિત છે ત્યા ફક્ત મા જ છે જે કોઈપણ જાતની અપેક્ષા કે લાલચ વગર પોતાની માતાને ભરપૂર પ્રેમ આપે છે. પણ માનવ જીવનની પણ વિચિત્ર વિડંબના છે. તે એ લોકોને મહત્વ નથી આપતો જે તેમને માટે જ જીવે છે. તેથી જ તો આજે કોણ જાણે કેટલી માતાઓ પોતાના બાળકો હોવા છતા પણ વૃદ્ધાશ્રમમાં એકલતાનુ જીવન વ્યતીત કરે છે. કેટલાયને તેમના બાળકો રસ્તા પર નિ:સહાય છોડીને જતા રહે છે. એ પણ ફક્ત એ માટે કે તેમણે માતા પોતાની સ્વતંત્રતા અને પારિવારિક ખુશીઓમાં કાંટાસ્વરૂપ લાગે છે.  જે મા પોતે ભૂખી રહીને પોતાની બધી ઈચ્છાઓને નજરઅંદાજ કરીને પોતાના બાળકોની દરેક કમી પૂરી કરી આજે એ જ તેમના બાળકો માટે બોજ બની ગઈ છે.  દુનિયાની મોજમસ્તીમાં મશગૂલ વ્યક્તિ પોતાના માને પાછળ છોડીને સફળ જીવનની કામના કરે છે જે કોઈ પણ રૂપે શક્ય નથી. 
 
મા જે પ્રેમ અને ત્યાગની મૂર્તિ છે તે માનવ માટે ઈશ્વરીય વરદાનથી ઓછી નથી. જેનુ મહત્વ બાજુ પર મુકીને કોઈપણ વ્યક્તિ આત્મિક સંતુષ્ટિ મેળવી શકતી નથી. તો આજના આ વિશેષ દિવસ પર તમે હજુ સુધી માતાને કોઈ ભેટ નથી આપી કે તેમને તમારી ભાવનાઓ વિશે જણાવ્યુ નથી તો જલ્દી તેમની પાસે જાવ અને બોલો આઈ લવ યૂ મા. 
 
માતાની સૌથી મોટી વાત તો એ છે કે આજના ભૌતિકવાદીયુગમાં જ્યાં બધા સંબંધો સ્વાર્થી થયા છે માત્ર માં જ છે જે  કોઈ લોભ-મોહ વગર પોતાની સંતાનને પૂર્ણ પ્રેમ આપે છે.પરંતુ માનવ જીવનની વિચિત્ર  છે ,તેઓ તે જ લોકોની નથી  સાંભળવા જે તેના માટે જ બધું કરે છે. એના કારણે જ આજે ઘણા માતાઓ તેના બાળકોને હોવા છતાં ઘડપણમાં એકલા જીવે છે શા માટે છે.કેટલાકને તેમના બાળકો રસ્તા પર અસહાય છોડી દે છે.એ માત્ર એ માટે કે પોતાની માતા,તેમના માટે  સ્વતંત્રતા અને પારિવારિઅક ખુશહાળીમાં એક અવરોધ તરીકે લાગે છે.જે માતા પોતે ભૂખે મરતા,પોતાની બધી ઈચ્છા ને અવગણવા કરી બાળકોની તમામ ઈચ્છા પૂર્ણ કરી આજે તે માતા ,તેમના બાળકો પર ભારરૂપ બની છે.વિશ્વના ઝગઝગાટમાં વ્યસ્ત વ્યક્તિ ,તેમના માતાને પાછળ છોડીને સફળ કારકિર્દીની કામના કરે છે ,કે કોઈપણ રૂપે શક્ય નથી. 
 
માતા જેને પ્રેમ અને બલિદાન ની છબી કહેવાય મા,માનવ દૈવી આશીર્વાદ છે. જેના મહત્વ કોઈને આધ્યાત્મિક સંતોષ દ્વારા અવગણના કરી શકાતી નથી.તો આજના ખાસ દિવસે તમે કોઈ ઉપહાર નહી ખરીદયું છે તો કે અત્યારસુધી તેમને તમારી ભાવનાઓ માતાને નહી બતાવી હોય તો તરત જ એના પાસે જાઓ અને કહો "માં આઈ લવ યુ  "

Share this Story:

Follow Webdunia gujarati