Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ભગવાન મહાવીરની માતાના 14 સ્વપ્નો

Mahaveer Chalisa
મહારાજા સિદ્ધાર્થે મહારાણી ત્રિશલા દ્વારા જોવામાં આવેલ સપનાઓની જાણકારી જ્યારે સ્વપ્નવેત્તાઓને આપી તો સ્વપ્નવેત્તાઓએ કહ્યું- રાજન! મહારાણીએ મંગળ સપનાઓના દર્શન કર્યા છે. સ્વપ્નવેત્તાઓએ સપનાઓની જે ભાવી વ્યાખ્યા કરી, તેનાથી ભગવાન મહાવીરનું ભવિષ્ય પ્રગટ થયું. જે 14 સપનાઓ ભગવાન મહાવીરની માતા ત્રિશલાએ નિંદ્રામાં જોયા હતાં- તેની સ્વપ્નવેત્તાઓએ ભાવી સુચનાઓ આ પ્રકારે જણાવી છે- 

હાથી- જે રીતે શત્રુ સેનાને નષ્ટ કરે છે, તેવી જ રીતે આ કર્મરૂપી શત્રુઓનો નાશ કરશે.

વૃષભ - વૃષભ જે રીતે ભાર વહન કરે છે તેવી જ રીતે આ બાળક પણ સંયમનો ભાર વહન કરશે.

કેસરી સિંહ - કામરૂપી ગજને નષ્ટ કરવામાં કેસરી સિંહ જેવું બળ દેખાડશે.

લક્ષ્મી - આ બાળક અનંત જ્ઞાન દર્શન રૂપ લક્ષ્મીને પ્રાપ્ત કરશે.

પુષ્પમાળા - સુમનમાળાની જેમ બધાને પ્રિય કલ્યાણકારી થશે.

ચંદ્રમા - જેવી રીતે ચંદ્રમા શીતળતા પ્રદાન કરે છે, તેવી જ રીતે આ પણ બધા માટે શીતળતા અને સુરમ્યતાદાયક થશે.

સુર્ય - મિથ્યાત્વના દૂર કરીને રત્નત્રયીનો પ્રકાશ કરશે.

ધ્વજા - ધર્મધ્વજાને બધા જ લોકોમાં ફેલાવશે.

કુંભ કળશ - સંપુર્ણ આત્માના ગુણોનો ધારક થશે.

પદ્મ સરોવર - કમળાકાર સિંહાસન પર બેસીને દેશના કરશે.

ક્ષીર સમુદ્ર - સાગર જેવી અસીમ ઉંડાઈનો ધારક થશે.

દેવ વિમાન - અસંખ્ય દેવ-દેવીયોની પૂજ્યતા મેળવશે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

મહાવીર જયંતિ - ભગવાન મહાવીરના 5 સિદ્ધાંત જેનુ પાલન દરેક વ્યક્તિએ કરવુ જોઈએ