Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ઘરમાં ઘૂસી જાય ઉંદર, તો તેને ભગાડવાના ઉપાય

ઘરમાં ઘૂસી જાય ઉંદર,  તો તેને ભગાડવાના ઉપાય
, શુક્રવાર, 8 નવેમ્બર 2019 (07:27 IST)
આમ તો તમે પણ લોકોના મોઢાથી ઉંદરના આતંક વિશે સાંભળ્યું હશે. આ જે ઘરમાં નાસી જાય છે ત્યાં ખૂબ નુકશાન કરે છે. ઉંદરને મારવા માટે બજારમાં મળતા દવાઓનો પ્રયોગ કરે છે પણ આવું કરવાથી ઈંફેક્શનનો ખતરો વધી જાય છે. તેથી ઘરમાં રહેલ ઘણી એવી વસ્તુઓ છે જેના મદદથી તમે તેને ઘરથી ભગાડી શકો છો. 

 
ફુદીના 
ઘરમાં જે જગ્યાથી ઉંદર પ્રવેશ કરે છે ત્યાં ફુદીનાના તેલમાં રૂ પલાળી રાખી દો. ફુદીનાની ગંધથી ઉંદર ઘરની અંદર નાસી શકે નહી. ઉંદરને ભગાડવા માટે તમે તમારા ઘરમાં ફુદીનાના છોડ પણ લગાવી શકો છો. 
 

 
બિલાડી 
જો તમે ઉંદરને તમારા ઘરથી દૂર કરવા ઈચ્છો છો તો તમારા ઘરમાં બિલાડી પાળી લો. બિલાડી ઉંદરની સૌથી મોટી દુશ્મન હોય છે. 
webdunia
ફટકડી 
ઉંદરના બિલ પાસે ફટકડી નો પાઉડર મૂકી દો.ઉંદર તમારા ઘરથી ભાગી જશે. 
webdunia
ઉલ્લૂના પાંખ 
ઉલ્લૂના પાંખથી ઉંદર બહુ ભીકે છે. જો તમે ઉલ્લૂના પાંખ મળી જાય તો તેને લઈને ઉંદરના બિલ પાસે રાખી દો. ઉંદર તમારા ઘરમાં જોવાશે નહી. 

કાળી મરી 
કાળી મરીને પાણીમાં મિક્સ કરીને ઉંદરના બિલ પાસે છાંટી દો. તેની ગંધથી ઉંદર ભાગી જશે. 
webdunia
ડુંગળી 
ડુંગળીની ગંધ બહુ તીખી હોય છે. ઉંદર તેને સહન કરી નહી શકતા. જ્યાં પણ ઉંદર જોવાય ત્યાં ડુંગળીના નાના-નાના ટુકડા કાપી મૂકી દો. 
 
વાળ 
માણસના વાળ પણ ઉંદર માટે યમરાજ થઈ શકે છે. તેને ફેંકવાની જગ્યા ઉંદરના બિલ પાસે મૂકી દો. ઉંદર તેને ખાઈને મરી જશે. 
 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Essay- બાળદિવસ પર નિબંધ