- 10 મિલી આમળાના જ્યુસમાં બે ગ્રામ હળદર ભેળવીને દિવસમાં બે વખત ચાટવાથી લોહીમાં ખાંડની માત્રા નિયંત્રણમાં રહે છે.
- એક સરખા આકારનું એક ટામેટુ, એક કાકડી અને એક કારેલાનો જ્યુસ કાઢીને રોજ ખાલી પેટે સેવન કરવું જોઈએ.
- વરિયાળી ખાવાથી ડાયાબિટિશ નિયંત્રણમાં રહે છે.
- કાળા જાંબુને ડાયાબિટિશના દર્દીઓ માટે ખાસ ઔષધિ માનવામાં આવે છે.
-
શતાવર રસ અને દૂધને સમાન માત્રામાં લેવાથી ડાયાબિટિશમાં લાભ થાય છે.
- કડવા લીમડાના કુંણા પાન ખાવાથી ડાયાબિટીસ મટે છે.
- જાંબુના ઠળિયા અને સાજીખાર વાટીને પીવાથી ડાયાબિટીસ મટે છે.
- લસણ વાટીને તેનુ પાણી પીવાથી ડાયાબિટીસ મટે છે
- કુમળા કારેલાના નાના નાના ટુકડા કરી તેને સુકવી તેનો બારીક પાવડર બનાવીને એક તોલા જેટલી ભુકી સવાર સાંજ લેવાથી ડાયાબિટીસ મટે છે.
- આમલીના ચચુકા શેકીને ખાવાથી ડાયાબિટીસ મટે છે
- રોજ રાત્રે મેથીના દાણા પલાળી સવારે ખૂબ મસળીને તેનું પાણી પીવાથી ડાયાબિટીસ મટે છે.