Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ગુરૂ પૂર્ણિમા - આ મંત્રોના જાપથી તમારી મુશ્કેલીઓ દૂર થશે

ગુરૂ પૂર્ણિમા - આ મંત્રોના જાપથી તમારી મુશ્કેલીઓ દૂર થશે
, ગુરુવાર, 6 જુલાઈ 2017 (00:07 IST)
જે લોકોની કુંડળીમાં ગુરૂ અશુભ હોય છે. તેમને સફળતા મળવામાં શંકા  હોય છે.  કારણ કે તેઓ ક્યારેય નેતૃત્વ નથી કરી શકતા. કાયમ બીજાના નેતૃત્વમાં જ કાર્ય કરે છે. તેમના લગ્નમાં મુશ્કેલીઓ આવે છે અને વાણી સંબંધી દોષ પણ થાય છે. બીજી પણ અનેક સમસ્યાઓ આ જાતકોને ધેરી લે છે. પણ નીચે લખેલ મંત્રોનો જપ કરવાથી તેમની આ સમસ્યાઓ દૂર થઈ શકે છે. આ મંત્રોના જાપથી પ્રતિકૂળ ગુરૂ પણ અનુકૂળ ફળ આપવા માંડે છે. આ મંત્ર આ પ્રકારનો છે. 
 

તાંત્રિક  મંત્ર - ग्रां ग्रीं ग्रौं स: गुरुवै नम:
 
બીજ મંત્ર - ऊँ बृं बृहस्पतये नम:
 
લધુ મંત્ર -  ऊँ ऐं क्लीं बृहस्पतये नम:।
 
જપ વિધિ 
 
- આમાંથી કોઈ એક મંત્ર પસંદ કરો જેનો જપ તમે કરવા માંગો છો. 
- ગુરૂપૂર્ણિમાના દિવસે સવારે જલ્દી ઉઠીને દેવગુરૂ બૃહસ્પતિની મૂર્તિની પૂજા કરો અને તેમણે પીળી વસ્તુઓ અર્પિત કરો - જેવીકે પીળા ફળ, પીળા ફૂલ, પીળા વસ્ત્ર વગેરે. 
 
- ત્યારબાદ પૂર્વ દિશા તરફ મોઢુ કરીન કૃશના આસન પર બેસીને પીળા ચંદનની માળાથી આ મંત્રોમાંથી કોઈ એક મંત્રનો જાપ કરો. 
 
- ઓછામાં ઓછા 11 માળા જપ જરૂર કરો. જો આ મંત્રોનો જપ રોજ કે દર ગુરૂવારે કરો તો પણ સારુ ફળ મળશે. 
 
- જપનો સમય સ્થાન આસન અને માળા એક જ હોય તો જલ્દી ફળ મળે છે.  

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Guru purnima 9 તારીખે, આ ઉપાયો કરવાથી દરેક મનોકામના પૂરી થશે(see video)