મરાઠી લેખક પુરૃષોત્તમ લક્ષ્મણ દેશપાંડેએ લખેલા મહાત્મા ગાંધીના જીવન ચરિત્રને કેન્દ્રમાં રાખીને મુરલીધરપંત આચરેકર નામના પેઇન્ટરે બાપુના પેન્સિલ સ્કેચ તૈયાર કર્યા. એને પણ પુસ્તકમાં સમાવાયા ગાંધીજીના બાળપણથી મરણ સુધીના પ્રસંગોને આવરી લેતા આ લગભગ ૮૦ સ્કેચનું પ્રદર્શન આવતીકાલ તા.૨ ઓક્ટોબર ગાંધીજયંતિથી વડોદરામાં શરૃ થશે. જે તા.૪ ઓક્ટોબર સુધી નિહાળી શકાશે.