Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ઈંડોનેશિયામાં ભૂકંપ અને સુનામીથી લગભગ 400 લોકોના મોત

ઈંડોનેશિયામાં ભૂકંપ અને સુનામીથી લગભગ 400 લોકોના મોત
, શનિવાર, 29 સપ્ટેમ્બર 2018 (14:35 IST)
ઈંડોનેશિયાની વિપદા એજંસીએ શનિવારે કહ્યુ કે એક ઈંડિનેશિયાઈ શહેરમાં ભૂકંપ અને સુનામીને કારણે ઓછામાં ઓછા 38 લોકો માર્યા ગયા છે. એજંસીએ ભૂકંપ સુનામીની આ ઘટના પછી પહેલીવાર મૃતકોના સત્તાવાર આંકડા બતાવ્યા છે. 
 
સૂત્રોના જણાવ્યા મુજબ સુલાવેસી દ્વીપના પાલૂમાં 356 લોકો ઘાયલ પણ થયા છે. બીજી બાજુ પાંચ પાચ ફુટ ઊંચી લહેરો ઉઠી અને 350,000 વસ્તીવાળા આ શહેરને પોતાની 
 
ચપેટમાં લીધી. અમેરિકી ભૂગર્ભ સર્વેક્ષણે જણાવ્યુ કે ભૂકંપની તીવ્રતા 7.5 હતી અને તેનુ કેન્દ્ર મધ્ય સુલાવેસીના ડોંગ્ગાલા ગામના પૂર્વોત્તરમાં દસ કિલોમીટરના ઊંડાણમાં હતુ. 
 
જેને કારણે શરૂઆતમાં સુનામીની ચેતાવણી પણ થોડા સમય માટે રજુ કરાઈ. સ્થાનિક વિપદા એજંસીના અધિકારી અકરિસે કહ્યુ કે અનેક ઘર પડી ગયા. તેમણે કહ્યુ કે આ ત્યારે થયુ જ્યારે અમે આ પહેલા આવેલ ભૂકંપથી પ્રભાવિત નવ ગામમાંથી ડેટા એકત્ર કરવામાં મુશ્કેલી આવી રહી હતી. 
 
ટેલિવિઝન ફુટેજમાં લોકોને પરેશાન થઈને આમ તેમ ભાગતા જોઈ શકાય છે. રાષ્ટ્રીય વિપદા મોચન એજંસી દ્વારા રજુ કરાયેલ એક વીડિયોમાં મહિલા અને બાળકો જોરજોરથી રડતા કકડતા દેખાય રહ્યા છે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

શા માટે હિન્દુઓને ધર્મ પરિવર્તન કરવું પડે છે? ગુજરાતમાં 93.5 ટકા ધર્મ પરિવર્તનની અરજીઓ હિન્દુઓની.