Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

આ એક ફળના છે પાંચ ચમત્કારીક ફાયદા... હાર્ટ અટેક સહિત કેંસર પણ થઈ જશે છૂમંતર

આ એક ફળના છે પાંચ ચમત્કારીક ફાયદા... હાર્ટ અટેક સહિત કેંસર પણ થઈ જશે છૂમંતર
, ગુરુવાર, 16 ઑગસ્ટ 2018 (11:45 IST)
વરસાદની ઋતુમાં અનેક રસદાર ફળ આવે છે. તેમાંથી કે ફળ છે નાસપતિ. મોટાભાગના લોકો નાશપતિ તો ખાય છે પણ તેના ફાયદા વિશે ખૂબ જ ઓછા લોકો જાણે છે.  નાશપતિમાં રહેલ ખનિજ તત્વ વિટામિન અને આર્ગેનિક કંપાઉડ સામગ્રી આપણે માટે એક ઔષધિની જેમ કામ કરે છે. 
 
નાશપતિમાં પોટેશિયમ, વિટામિન-C, વિટામિન -K, ફિનાલિક કંપાઉડ, ફોલેટ, આહાર ફાયબર, તાંબુ, મૈગનીઝ , મેગ્નેશિયમ સાથે બી-કૉમ્પ્લેક વિટામિંસ પણ સામેલ થાય છે. જે આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ લાભકારી હોય છે. 
 
નાશપતિના ફાયદા.. 
 
1. પાચનમાં સહાયક - નાશપતિમાંથી આપણને 18% ફાયબર મળે છે જે આપણા પાચનમાં સહાયક હોય છે.
 
2. કેંસરમાં કારગર - નાશપતિમાં હાઈડ્રોઓક્સીનોમિક એસિડ અને ફાયબર હોય છે. જે પેટના કેંસરને રોકવામાં મદદ કરે છે. 
 
3. હ્રદય સંબંધી બીમારીઓમાં મદદગાર - નાશપતિમાં પોટેશિયમ હોય છે. જે આપણા શરીરના લોહીના પ્રવાહને વધારી દે છે. અને આપણા શરીરના અંદરના અંગોને ઓક્સીજન આપવાનુ કામ કરે છે. આ ઓક્સીજન હાર્ટએટેક આવવા દેતો નથી. 
 
4. ડાયાબિટિસ કરે કંટ્રોલ - નાશપતિમાં વિટામિન K જોવા મળે છે જે શુગરને નિયંત્રણમાં રાખે છે. તેથી શુગર પીડિતોએ તેનુ સેવન નિયમિત રૂપે કરવુ જોઈએ. 
 
5. શરીરમાં કમજોરી  કરે દૂર - નાશપતિમાં રહેલ મેગ્નેશિયમ, મૈગનીઝ, ફોસ્ફરસ, કેલ્શિયમ જેવા તત્વ પણ સામેલ હોય છે. જે આપણા શરીરની કમજોરીને દૂર કરે છે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

પોતાના બોયફ્રેંડની આ વાતોથી શરમથી લાલચોળ થાય છે યુવતીઓ