Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

કાળી ચૌદસ 2018 - આ શુભ મુહૂર્તમાં કરો દીપદાન.. દરિદ્રતા દૂર થશે

કાળી ચૌદસ 2018 - આ શુભ મુહૂર્તમાં કરો દીપદાન.. દરિદ્રતા દૂર થશે
, સોમવાર, 5 નવેમ્બર 2018 (20:23 IST)
દિવાળીનો તહેવાર ધનતેરસથી શરૂ થાય છે અને સતત પાંચ દિવસ સુધી તેની ધૂમ રહે છે. ધનતેરસના બીજા દિવસે નાની દિવાળી ઉજવાય છે. આ દિવસને નરક ચતુર્દશી કે યમ દિવાળી પણ કહેવાય છે. યમ દિવાળી જ આખા વર્ષમાં એક એવો દિવસ છે જ્યારે યમરાજને દિવો બતાવવામાં આવે છે. 
 
નરક ચતુર્દશીના રૂપમાં પણ આ દિવસ ઉજવાય છે. એવી માન્યતા છે કે આ દિવસે તેલ લગાવીને ચિચડીના પાન પાણીમાં નાખીને સ્નાન કરવાથી નરકથી મુક્તિ મળે છે. આ ઉપરાંત આ દિવસે દીવો પ્રગટાવવાથી યમ દેવતા ખુશ થાય છે અને અકાળ મોતથી મુક્તિ મળે છે. 
 
આ દિવસે ઘરની મહિલાઓ દરિદ્રતા જા લક્ષ્મી આવ.. કહીને ગંદગી ઘરની બહાર કાઢે છે. આ નાની દિવાળીએ દરિદ્રતાને ભગાવવા અને લક્ષ્મીને આવવાનો સમય મતલબ શુભ મુહૂર્ત સાંજે 5:20 થી 6:00 સુધી છે. આ શુભ મુહૂર્તમાં યમ દેવતાને દીપ દાન કરવાથી ઘરમાંથી દરિદ્રતા દૂર થાય છે અને લક્ષ્મીનુ આગમન થાય છે. 
 
કાળી ચૌદસ પૂજા વિધિ 
 
આ દિવસે સવારે વહેલા ઉઠીને સૌથી પહેલા સ્નાન કરી સૂર્ય ભગવાનને અર્ધ્ય આપવુ જોઈએ 
આ દિવસે તલનુ તેલ લગાવ્યા પછી સ્નાન કરવુ શુભ માનવામાં આવે છે 
આ દિવસે શરીર પર ચંદન લેપ લગાવીને ન્હાવાથી ભગવાન કૃષ્ણની ઉપાસના કરવાનુ વિધાન છે. સાંજે ઘરના ઉંબરા પર દીપ પ્રગટાવો અને યમ દેવની પૂજા કરો. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

કાળી ચૌદશના ટોટકા - જે રાત્રે ઘરે કરો આ પ્રયોગ મળશે દરેક કાર્યનુ તરત પરિણામ