Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

સલમાનના કુંવારાપણા પરથી આખરે પડદો ઉઠયો

સલમાનના કુંવારાપણા પરથી આખરે પડદો ઉઠયો
, સોમવાર, 13 ઑક્ટોબર 2014 (15:55 IST)
મુંબઈ
 
બોલીવુડમાં મોસ્ટ એલજિબલ બેચલર એવા દબંગ ખાનને પરણવા માટે ભારતની લાખો યુવતીઓ આતુઅર છે ત્યારે તેણે અત્યાર સુધી લગ્ન કેમ નથી કર્યા તેના પરથી આખરે પડદો ઉંચકાઈ ગયો છે. સંગીતા બિંજલાણીથી માંડીને જેકલીન ફર્નાનડીસ સુધીની  અભિનેત્રીઓ સાથે પ્રેમ ફાગ ખેલવાની ચર્ચાના કારણે સમાચારનું કેન્દ્ર રહેલો સલમાન ખાન ક્યારે લગ્ન કરશે અથવા તો કેમ નથી કરતો તેવો પ્રશ્ન લગભગ બે દાયકાથી બોલીવુડ તથા મીડિયામાં ચર્ચાઈ રહ્યો છે. આખરે આ પ્રશ્નનો જવાબ મળી ગયો છે. આ રસપ્રદ પ્રશ્નનો જવાબ ખૂબસૂરત અભિનેત્રી રેખાએ આપ્યો હતો. 
 
તાજેતરમાં જ જીવનના 60 વર્ષના ઉજવળી કરનારી રેખાએ ગઈકાલે બિગબોસના મંચ પરથી આ સલમાન લગ્ન કેમ નથી કરતો તેના પરથી પડદો ઉઠાવ્યો હતો. શો દરમિયાન સલમાનના લગ્નને લઈને જ્યારે પ્રશ્નો ઉભા થયા ત્યારે રેખાએ કહ્યું હતું કે તે જાણે છે કે સલમાન અત્યાર સુધી લગ્ન કેમ નથી કર્યા. 
 
રેખાએ ઉમેર્યું હતું કે જયારે સલમાન 4-5 વર્ષનો હતો અને તેણી જ્યારે સવારે બાંદ્રામાં મોર્નિંગ વોક પર જતી હતી. ત્યારે માન બાબા મારી પાછળ ફરવા આવતા હતા. રેખા સલમાનને માન બાબાના હુલામણા નામથી બોલાવે છે.વોક પરથી પરત આવ્યા બાદ સલમાન વારંવાર પોતાની માતાને કહેતો હતો કે તે મોટો થઈને મારી સાથે લગ્ન કરશે. આ લગ્ન હજુ સુધી થયાં નથી અને સલમાન આ કારણે હજુ પણ કુંવારો છે.   

Share this Story:

Follow Webdunia gujarati