Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

આ વિધિથી પ્રગટાવો એક દીવો, Personal અને professional સમસ્યાઓ થશે દૂર

આ વિધિથી પ્રગટાવો એક દીવો, Personal અને professional સમસ્યાઓ થશે દૂર
, ગુરુવાર, 20 સપ્ટેમ્બર 2018 (08:44 IST)
દૈનિક જીવનની સમસ્યાઓથી મુક્તિ મેળવવા વ્યક્તિ દરેક શક્ય પ્રયાસ કરે છે. અનેકવાર તે પોતાની પરેશાનીઓથી એટલા કંટાળી જાય છે કે ખોટા હાથમાં પડીને તેઓ પોતાનો આજ જ નહી પણ ભવિષ્યને પણ અંધકારથી ભરી લે છે. તમારી સાથે પણ કશુ ખોટુ થઈ થઈ રહ્યુ છે જેને ઠીક કરવાનો તમે ભરપૂર પ્રયાસ કરી રહ્યા છો પણ તેમાંથી બહાર નથી આવી શકતા તો આ વિધિથી રોજ એક દિવો પ્રગટાવો.  દુકાન પર ગ્રાહક નથી આવતા કે ખરીદારીમાં દિવસો દિવસ કપાત થઈ રહી છે. તો ઘરે બેસેલા ગણેશજી અને કાર્યસ્થળ પર ઉભા ગણપતિજીને સ્થાપિત કરો. ગણેશજીના બંને પગ જમીનને સ્પર્શ કરતા હોવા જોઈએ. તેનાથી કાર્યમા સ્થિરતાનો સમાવેશ થાય છે. જો તમારો વ્યવસાય બંધ થવાના કગાર પર છે તો 108 લાડુ 108 દુર્વા સાથે ગણેશજીનો અભિષેક કરાવો. રોજ ગણેશજી સામે દીવો પ્રગટાવો.. 
 
રોગોથી પરેશાન છો કે કોઈ દવા અસર નથી કરી રહી તો રોજ ઘરતીના સાક્ષાત દેવ સૂર્ય નારાયણની સામે તે તેમના ફોટા અથવા પ્રતિમા સામે દીવો અર્પિત કરો. અસાધ્ય અને કઠિન બીમારીઓથી મુક્તિ મળી જશે. 
 
- શ્રીરાધાકૃષ્ણના પવિત્ર અને પાવન પ્રેમ જેવા ઉદાહરણ આજ સુધી ન તો કોઈ થયા છે કે ન તો હોઈ શકે છે.  મનભાવન જીવનસાથીની શોધ કરી રહ્યા છો પણ દરેક વખતે વાત બનતા બનતા રહી જાય છે તો યુગલ સરકાર સામે દીવો પ્રગટાવો. 
 
- અજાણ્યો ભય અથવા ખરાબ સપનાનો ડર સતાવે છે તો હનુમાનજીનુ પંચમુખી સ્વરૂપ તમારા રૂમમાં સ્થાપિત કરો. રોજ તેમની સામે દીવો પ્રગટાવો. 
 
- વેપારમાં ધન સંબંધિત કોઈપણ પ્રકારની સમસ્યા આવી રહી છે કે પૈસા ક્યાય ફંસાય ગયા છે તો ધનના દેવ કુબરની આગળ દીવો પ્રગટાવો. કુબેર દેવનુ ચિત્ર અથવા સ્વરૂપ ઉત્તર દિશામાં સ્થાપિત કરો. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

કેમ શ્રાદ્ધપક્ષમાં શુભ અને માંગલિક કાર્ય ન કરવા જોઈએ